Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 23
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૬૫૮ કિલો ગૌમાંસ સાથે પાંચ ઝડપાયા, રૂપિયા ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત

    ૧૬૫૮ કિલો ગૌમાંસ સાથે પાંચ ઝડપાયા, રૂપિયા ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત

    City Today DailyBy City Today DailyFebruary 17, 2025

    સુરત,તા.૧૭
    સલાબતપુરા વિસ્તારમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસની હેરાફેરી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર પોલીસના સલાબતપુરા પોલીસ મથકે બાતમીના આધારે વોચ ગોઠવી એક ટેમ્પો અટકાવી, તેમાંથી ૧૬૫૮ કિલો ગૌમાંસ ઝડપ્યું હતું. આ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી કુલ રૂ. ૫.૦૬ લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે, ઉમરવાડા પાવર હાઉસની પાછળ, પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીને ધ્યાને લઈ, પોલીસ દ્વારા સ્થળ પર વોચ ગોઠવી ટાર્ગેટેડ વાહનને અટકાવ્યું હતું. ટેમ્પોની તપાસ દરમિયાન કુલ ૧૬૫૮ કિલો ગૌમાંસ મળી આવ્યું, જે ગેરકાયદેસર રીતે હેરાફેરી માટે લાવવામાં આવ્યું હતું. સાથે જ પોલીસને રૂ. ૩ લાખની કિંમતનો ટેમ્પો, ૬ મોબાઇલ (રૂ. ૨૬,૦૦૦) અને રૂ. ૧૪,૩૦૦ રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫.૦૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતાં.
    પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા પાંચ ઈસમોને ઝડપી લીધા, જે સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રહેમાન ઈસ્માઈલ શેખ (રહે. ખ્વાજા નગર, માનદરવાજા, સલાબતપુરા),ઈમામ હીરા શેખ (રહે. રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા), સહેબાજ સકીલ શેખ (રહે. ખ્વાજા નગર, માનદરવાજા, સલાબતપુરા), મુખ્તાર જંગુ શેખ (રહે. મીઠીખાડી, લીંબાયત), આસીફ ઈસ્માઈલ શેખ (રહે. રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા) તરીકે થઈ છે.
    ડીસીપી ભગીરથ ગઢવી જણાવ્યું હતું કે,આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ગૌહત્યા, ગૌમાંસ વેચાણ અને હેરાફેરી સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કિસ્સામાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગૌહત્યા વિરોધી કાયદા હેઠળ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગૌમાંસ હેરાફેરી માટે શંકાસ્પદ રીતે સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. તેવું માનવામાં આવે છે કે તેઓએ ગૌવંશનો કતલખાનામાં હત્યા કરીને ગૌમાંસ હેરાફેરી કરવાનો રેકેટ ચલાવતો હતો. આ કેસમાં વધુ કડી શોધવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ, ફોન રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે. સાથે જ, આ રેકેટમાં અન્ય કોઈ પણ સંડોવાયેલ છે કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
    સુરત પોલીસ માટે આ એક મોટી સફળતા ગણાઈ રહી છે, કારણ કે ૧.૬ ટન (૧૬૫૮ કિલો) ગૌમાંસની હેરાફેરી રોકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીઓનું નેટવર્ક તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.આગામી દિવસોમાં પોલીસે ગૌહત્યા અને ગૌમાંસ હેરાફેરીની વધુ તપાસ કરીને અન્ય આરોપીઓને ઝડપી પાડવાની શક્યતા વ્યક્ત કરી છે.

    Post Views: 721
    ૧૬૫૮ કિલો ગૌમાંસ સાથે પાંચ ઝડપાયા રૂપિયા ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત
    Previous Articleફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ, ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા!
    Next Article સામૂહિક દુષ્કર્મના દોષિતોને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.