Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ, ૩ના મોત, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર અને SPની બદલી કરાઈ

    પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ, ૩ના મોત, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર અને SPની બદલી કરાઈ

    City Today DailyBy City Today DailyJune 29, 2025

    પુરી, તા.૨૯
    ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ ભક્તોના મોત થયા હતા. આ સાથે, ઓછામાં ઓછા ૩૦ ભક્તો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ૨ મહિલાઓ પણ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી શુભદ્રાની મૂર્તિઓ લઈને જતા ત્રણ રથ શ્રી ગુંડિચા મંદિરમાંથી પસાર થઈ રહ્યા હતા, જે જગન્નાથ મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે, જ્યાંથી યાત્રા શરૂ થઈ હતી. આજે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે પવિત્ર રથ ગુંડિચા મંદિરમાંથી પસાર થઈ રહ્યા હતા. દર્શન માટે ભારે ભીડ એકઠી થઈ હતી. રથ નજીક પહોંચતા જ ભીડ ઝડપથી વધવા લાગી. કેટલાક લોકો પડી ગયા અને ભાગદોડ મચી ગઈ. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
    આમાં બે મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુ અને ૭૦ વર્ષીય પ્રેમકાંત મોહંતીનો સમાવેશ થાય છે. મૃતકો ઓડિશાના ખુર્દા જિલ્લાના રહેવાસી છે અને રથયાત્રા માટે પુરી આવ્યા હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પોલીસ વ્યવસ્થા સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે અપૂરતી હતી. અહેવાલો અનુસાર, ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
    ઘાયલોને તાત્કાલિક પુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના શ્રી ગુંડિચા મંદિરની સામે શારદાબલી નજીક બની હતી, જ્યારે ભગવાન જગન્નાથને રથ પર બેઠેલા જાેવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી.
    આટલા મોટા ધાર્મિક કાર્યક્રમમાં જ્યાં લાખો લોકો ભેગા થાય છે, ત્યાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટનામાં ઘાયલોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
    રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી શુભદ્રાની મૂર્તિઓ લઈને જતા ત્રણ ભવ્ય રથોને ભક્તોની વિશાળ ભીડ દ્વારા ખેંચવામાં આવે છે. પવિત્ર રથોને ગુંડિચા મંદિરમાં લઈ જવામાં આવે છે. ત્રણેય દેવતાઓ જગન્નાથ મંદિરમાં પાછા ફરતા પહેલા ત્યાં એક અઠવાડિયું વિતાવે છે. આ દરમિયાન, આ વખતે રથયાત્રા શરૂ થવામાં વિલંબથી રાજકીય વિવાદ થયો છે. બીજેડી વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે તેને ભયંકર ગડબડ ગણાવી હતી. તેમણે કહ્યું, “આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ. મહાપ્રભુ જગન્નાથ આ વર્ષે આ દિવ્ય તહેવાર પર થયેલી ભયંકર ગડબડ માટે જવાબદાર તમામને માફ કરે.” ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને શ્રી પટનાયકનું નામ લીધું ન હતું, પરંતુ રાજકીય નિવેદનો આપવા બદલ બીજેડી પર ટીકા કરી હતી. તેમણે કહ્યું, “ભૂતકાળમાં, બીજેડી સરકારે ભૂલો કરી છે અને ભગવાન જગન્નાથનું અપમાન કર્યું છે.”

    Post Views: 218
    ૩ના મોત જિલ્લા ક્લેક્ટર અને SPની બદલી કરાઈ પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ બે અધિકારી સસ્પેન્ડ
    Previous Articleસુરતના રસ્તાઓ ‘મંગળ ગ્રહ’ જેવા બન્યા..!
    Next Article ‘વડાપ્રધાન મોદી જુઠ્ઠા છે’ અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં ભાજપ પર પ્રહાર

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.