Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, હિમાચલમાં ૩૯ના મોત

    ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, હિમાચલમાં ૩૯ના મોત

    City Today DailyBy City Today DailyJune 30, 2025

    દેહરાદુન, તા.૩૦
    વરસાદ માટે રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, સરકારે તમામ જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ અધિકારીઓ અને વિભાગીય નોડલ અધિકારીઓ હાઇ એલર્ટ પર રહેશે. આગાહી મુજબ, ૩૦ જૂને દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેના માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૧ અને ૨ જુલાઈએ સમગ્ર રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ૩ જુલાઈએ બાગેશ્વર, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. સ્થાનિક વહીવટીતંત્રને હિલચાલ પર નજર રાખવા, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા અને રાહત ટીમો તૈનાત રાખવા કહેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ અધિકારીઓ અને વિભાગીય નોડલ અધિકારીઓ હાઇ એલર્ટ પર રહેશે.
    પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં ૫ લોકોના મોત થયા છે. રવિવારે બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે ૬ છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
    જાેકે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને બધી છોકરીઓને બચાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. લગુરાહી વોટરફોલમાં આનંદ માણવા દર વર્ષે ઘણા લોકો આવે છે એવામાં રવિવારે વાતાવરણ સામાન્ય હોવાથી ઘણા લોકો વોટરફોલની મુલાકાતે આવ્યા હતા. એવામાં અચાનકથી પાણીના પ્રવાહમાં વધારો થતા ૬ છોકરીઓ તણાઈ ગઈ હતી. આ ઉપરાંત ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ચારધામ માર્ગ પર હવામાનની અસર વધુ જાેવા મળી રહી છે.
    દેહરાદૂનથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી ઘણી જગ્યાએ સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. બદ્રીનાથથી વહેતી અલકનંદા અને કેદારનાથથી વહેતી મંદાકિનીનો પ્રવાહ એટલે જાેરદાર છે કે રુદ્રપ્રયાગમાં બંને નદીઓના સંગમ પર એવું લાગી રહ્યું છે કે ૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમાની જટાને સ્પર્શ કરી રહી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત, ૬૬ લોકો ઘાયલ અને ૪ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
    જાે લોકો કોઈપણ વિસ્તારમાં ફસાઈ જાય, તો તેમના સુધી આવશ્યક ખાદ્ય પદાર્થો અને દવાઓ પહોંચાડવા માટે તૈયારી સુનિશ્ચિત કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સામાન્ય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદીઓ અને નાળાઓ પાસે ન જવા અને કોઈપણ આપત્તિના કિસ્સામાં વહીવટીતંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, રાજ્યભરની તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, આજે હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ ધોરણ ૧ થી ૧૨ સુધી ચાલતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ સમય દરમિયાન તમામ આંગણવાડી કેન્દ્રો તેમજ તમામ સરકારી/બિન-સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે .

    Post Views: 360
    ઉત્તરાખંડમાં આભ ફાટ્યું હિમાચલમાં ૩૯ના મોત
    Previous Articleગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો
    Next Article RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ, ૧૦ દિવસથી સર્વરના ધાંધિયા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.