Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, વિમાનના એન્જિનનું ફ્યૂલ કેપ્ટને બંધ કરી દીધુ હતું

    અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, વિમાનના એન્જિનનું ફ્યૂલ કેપ્ટને બંધ કરી દીધુ હતું

    City Today DailyBy City Today DailyJuly 17, 2025

    વોશિંગ્ટન, તા.૧૭
    યુએસ મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના એક પાઇલટે વિમાનનું ઇંધણ બંધ કરી દીધું હતું. અહેવાલમાં બંને પાઇલટ વચ્ચેની છેલ્લી વાતચીતના કોકપીટ રેકોર્ડિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાેકે, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ અહેવાલ ફક્ત પ્રારંભિક તારણો પર આધારિત છે અને હજુ સુધી અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું જાેઈએ નહીં. આ સાથે, પાઇલટ એસોસિએશન પણ આ અહેવાલ પર ગુસ્સે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ઉડાવતા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે તેણે રનવે પરથી ઉડાન ભર્યા પછી તરત જ કટઓફ પોઝિશનમાં સ્વિચ કેમ મૂકી. રિપોર્ટ અનુસાર, આ પછી ફર્સ્ટ ઓફિસરે ગભરાટ વ્યક્ત કર્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યા. કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા, જેમને કુલ ૧૫,૬૩૮ કલાક અને ૩,૪૦૩ કલાક ઉડાનનો અનુભવ હતો.
    વોલ સ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (છૈંૈંમ્) ના પ્રારંભિક અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ટેકઓફ પછી થોડી જ ક્ષણોમાં બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક પછી એક કટઓફ પોઝિશન પર પહોંચી ગયા હતા. રિપોર્ટ અનુસાર, ટેકઓફ અને અકસ્માત વચ્ચેનો સમય માત્ર ૩૨ સેકન્ડનો હતો. વોલ સ્ટ્રીટ જર્નલે કેસના નિષ્ણાતો, અમેરિકન પાઇલોટ્સ અને તપાસ પર નજર રાખતા સુરક્ષા નિષ્ણાતોને ટાંકીને કહ્યું હતું કે પ્રારંભિક અહેવાલમાં આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે કેપ્ટને પોતે સ્વીચો બંધ કરી હતી. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે સ્વિચ ઓફ આકસ્મિક હતું કે ઇરાદાપૂર્વક.”
    નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રિપોર્ટ ફક્ત પ્રારંભિક તારણો પર આધારિત છે અને અંતિમ અહેવાલ પ્રકાશિત થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું જાેઈએ નહીં.
    ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (હ્લૈંઁ) ના પ્રમુખ સીએસ રંધાવાએ ગુરુવારે વોલ સ્ટ્રીટ જર્નલના પાયાવિહોણા અહેવાલની આકરી ટીકા કરી હતી અને કાર્યવાહી કરવાની પણ હાકલ કરી હતી. રંધાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છૈંૈંમ્ ના પ્રારંભિક અહેવાલમાં પાઇલટ્સ દ્વારા એન્જિનમાં બળતણના પ્રવાહને નિયંત્રિત કરતી સ્વીચ બંધ કરવાનો ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે અંતિમ અહેવાલ આવે તે પહેલાં લોકોએ કોઈ નિષ્કર્ષ કાઢવો જાેઈએ નહીં.

    Post Views: 734
    અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો વિમાનના એન્જિનનું ફ્યૂલ કેપ્ટને બંધ કરી દીધુ હતું
    Previous Articleસુરત ફરી ખુબ સુરત : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઈતિહાસ રચ્યો
    Next Article કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને જવાબદાર ઠેરવી

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.