Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 22
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન

    સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન

    City Today DailyBy City Today DailyJuly 18, 2025

    સુરત, તા.૧૮
    સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાના બૂટભવાની નજીક કોયલી ખાડીની આસપાસનાં ૬ જેટલાં બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યાં છે. ખાડીના પટમાં કુલ ૨૬ જેટલાં બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ડિમોલિશન કામગીરીમાં ૧૦૦થી વધુ પાલિકાના કર્મચારીઓ અને ૧૫૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે.
    અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે એવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતરરૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે.

    Post Views: 619
    સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન
    Previous Articleચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ પડી
    Next Article મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી, દાઉદ સુલેમાન પટેલની અપીલ ખર્ચ સહિતના મંજુર કરતો વકફ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.