૨૭૨ ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ, ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને લશ્કરી અધિકારીઓએ આરોપો લગાવ્યા
નવી દિલ્હી, તા.૧૯
૨૭૨ ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ, ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને લશ્કરી અધિકારીઓએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. એક ખુલ્લા પત્રમાં, તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી “ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
‘Assault on National Constitutional Authorities’ શીર્ષકવાળા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વિપક્ષી નેતાઓ ‘ઝેરી વાણી-વર્તન‘ અને ‘પાયાવિહોણા આરોપો‘ દ્વારા દેશની સંસ્થાઓને ખામીયુક્ત દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સહી કરનારાઓએ આરોપ લગાવ્યો હતો કે સૈન્ય, ન્યાયતંત્ર અને સંસદ પછી, કોંગ્રેસ હવે ચૂંટણી પંચને નિશાન બનાવી રહી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ વારંવાર મત ચોરીના આરોપો લગાવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ કે સોગંદનામું રજૂ કર્યું નથી. ‘૧૦૦% પુરાવા‘, હાઈડ્રોજન બોમ્બ‘ અને ‘રાજદ્રોહ‘ના તેમના દાવાઓને પણ ‘પાયાવિહોણા‘ ગણાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ, વિપક્ષ અને સંલગ્ન NGO એ ચૂંટણી પંચને ‘ભાજપની બી-ટીમ‘ કહીને વારંવાર બદનામ કર્યા છે, જ્યારે ECI એ સતત તેની પદ્ધતિઓ, ડેટા અને પ્રક્રિયાઓ જાહેર કરી છે. પત્રમાં જણાવાયું હતું કે કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ, પ્રકાશિત ડેટા અને ગેરકાયદેસર નામો દૂર કરવાથી આવા આરોપોને ખોટા સાબિત થાય છે. સહી કરનારાઓએ આને ચૂંટણી નિષ્ફળતાથી ઉદ્ભવતી હતાશા તરીકે વર્ણવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “જ્યારે નેતાઓ જનતાથી દૂર થઈ જાય છે, ત્યારે તેઓ પોતાની નબળાઈઓને બદલે સંસ્થાઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે.









