Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન

    સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    સુરતની ભાજપ ઓફિસ પર કોંગ્રેસનો હલ્લાબોલ સાથે મોદી-ભાજપ હાય-હાય ના સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો, પોલીસે બાજી સંભાળી

    (સિટી ટુડે) સુરત. તા.૧૯
    હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે એક તબકેક માહોલ તંગ બન્યો હતો.
    છેલ્લાં ૧૨ વર્ષથી કોંગ્રેસના દિગ્ગજાેને કાનુની દાવપેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યાં છે. આ અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસના નવયુવાન પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ ઉધના મેઈન રોડ પર એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલયે જ મોરચો માંડ્યો હતો અને કાર્યાલયનો ઘેરો ઘાલીને રામધૂમ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે ભાજપ કાર્યાલયમાં બેઠેલા નેતાઓ અને કર્મચારીઓ પણ કચેરીના બહાર દોડી આવ્યા હતા. એક તબક્કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનું વાતાવરણ બન્યું હતું પરંતુ પોલીસે સકારાત્મક વલણ દાખવતા મામલાને સંભાલી લીધો હતો અને વાતાવરણ હળવું બનાવ્યું હતું.
    અંદાજિત દોઢ-બે કલાક સુધી ભાજપ કાર્યાલયને બાનમાં લીધા બાદ કોંગ્રેસે ભાજપના નેતાઓને નશ્યત આપતા જણાવ્યું હતું કે ‘સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં‘. રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી જેવા સંનિષ્ઠ અને પ્રામાણિક નેતાઓને કાનુની દાવપેચમાં ફસાવવા આટલા સરળ નથી.
    આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, નવનિયુક્ત હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશના આગેવાનો, યુવાઓ તેમજ સ્થાનિક આગેવાનો જાેડાયા હતા. આ પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા પણ સારી એવી જાેવા મળી હતી.
    ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ કાર્યાલયનો ઘેરો
    સુરતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભાજપના કાર્યાલયનો ઘેરો ઘાલતા કોંગ્રેસના અગ્રણીઓએ સંદેશ આપી દીધો છે કે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને છેલ્લાં ત્રણ દાયકાથી સુરતને બાનમાં લેનાર ભાજપ શાસકોની શાન ઠેકાણે લાવતા કોંગ્રેસને વાર નહિ લાગે.

    Post Views: 223
    લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ
    Previous Articleએક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા, ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા
    Next Article સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.