Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    સુરત, તા.૧૯
    ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે ૧૧,૧૭,૮૮૨ મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં.
    આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૨૫,૦૫,૩૧૧ મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૧,૧૭,૮૮૨ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપીંગ બાકી છે. જાતિવાર વિગતોમાં ૧૮,૭૮,૯૪૯ પુરૂષ મતદારો, ૧૭,૪૪,૧૪૪ સ્ત્રી મતદારો અને ૧૦૦ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના ૧૨,૫૦,૩૧૯ જેટલા ઇએફએસ ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી.જેથી રદ કરાયા છે.
    મેપીંગ ન થયેલા ૧૧,૧૭,૮૮૨ મતદારો માટે હવે નોટીસનો તબક્કો ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટીસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ, પ્રતિદિન ૫૦ લોકોને એક બીએલઓ નોટીસ આપશે. આ મતદારોએ નોટીસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ જ તેમનું નામ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. જે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે, તેમના માટે આવતીકાલ એટલે કે શનિવારથી ફોર્મ ૬ અને ફોર્મ ૮ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.

    Post Views: 270
    મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ
    Previous Articleસત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન
    Next Article ગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ૭૩ લાખ કપાયા

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.