Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, June 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવા રજૂઆત કરી

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવા રજૂઆત કરી

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૧૯

    આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ને શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ મુજબની રજૂઆત કરી હતી. મધ્ય ઝોનના દરિયાપુર, કાલુપુર-ખાડિયા, શાહપુર વોર્ડના પ્રાથમિક સુવિધાના રોડ, ડ્રેનેજ, પાણી સહિતના પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ કોગ્રેસ પક્ષને સમર્થન કરતા વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી ભેદભાવપૂર્ણ રીતે માત્ર ને માત્ર ભાજપાના ધારાસભ્યશ્રીએ સૂચવેલ કામો માટે જ બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે.

    ૧) અમારી નમ્ર વિનંતી છે કે વિકાસથી વંચિત સમગ્ર દરિયાપુર વોર્ડમાં પક્ષાપક્ષીથી પર રહી બજેટ દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે સમાંતર વિકાસ કાર્યો કરવામાં આવે.

    ૨) કાલુપુર-ખાડિયાના સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમાંતર બજેટ ફાળવી ભેદભાવમુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે.

    ૩) શાહપુર સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર શાહપુર વિસ્તારમાં સમાંતર બજેટ ફાળવી ભેદભાવમુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે.

     

    વિષયઃ ૨૦૨૬ના બજેટમાં દરિયાપુર વોર્ડના પ્રજાલક્ષી કામોનો સમાવેશ કરવા

    ૧) સવિનય સાથે જણાવવાનું કે દરિયાપુર વોર્ડમાં સમગ્ર રથયાત્રા રુટમાં સમાવિષ્ટ પ્રેમ દરવાજાથી જોર્ડન રોડ દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર ચકલા, વિશેષ રુપે શાહપુર રંગીલા પોલીસ ચોકીથી થીકાંટા રેટીયાવાડી, સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું અતિ મહત્વનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ આંબલીવાળી પોળ કે જ્યાં સંતશ્રી પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરી હતી અને પ્રમુખસ્વામીને દિક્ષાની ચાદર પણ ત્યાં જ ઓઢાડવામાં આવી હતી તેવા અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ આવતુ હોવાથી સમગ્ર રુટને હેરીટેજ થીમ ઉપર આધુનિક લાઈટના થાંભલા મૂકવા તેમજ વ્હાઈટ ટોપીંગ રોડ બનાવી આધુનિક બનાવવું જોઈએ.

    ૨) દરિયાપુર વોર્ડમાં હાલમાં દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર નું રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. તાકીદે બે વર્ષથી ધીમી કામગીરી ચાલુ હોઈ દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરને સી.એચ.સી. સેન્ટર તરીકે કાર્યરત કરવા વિનતી જેમાં એક્સરે મશીન – બ્લડ લેબોરેટરી – સોનોગ્રાફી મશીનની સુવિધા પુરી પાડવા તેમજ પ્રસુતિગૃહ વિભાગ ચાલુ કરવા નમ્ર વિનંતી.

    ૩) દરિયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા પાસે ઢોર પુરવાનો ડબ્બો કાર્યરત હતો જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ઉપરોકત ઢોરના ડબ્બાની જગ્યાએ દરિયાપુરની પ્રજા માટે લાઈબ્રેરી અથવા બાળ આંગણવાડી નવી બિલ્ડીંગ બનાવી ચાલુ કરવા માંગણી.

    Post Views: 434
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવા રજૂઆત કરી
    Previous Articleમુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ દ્વારા રજૂઆત કરાઇ
    Next Article NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન..!! ૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો૧૦૦ કરોડનો દંડ

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.