Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાનો ર્નિણય

    હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાનો ર્નિણય

    City Today DailyBy City Today DailyDecember 23, 2024

    નવી દિલ્હી, તા.૨૩
    કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કરતા હવે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે. હવે ધોરણ ૫ અને ધોરણ ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવશે.
    નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જાે તે બીજીવાર નાપાસ થાય છે તો તેને આગળ જવા દેવામાં આવશે. શાળા ધોરણ ૮ સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
    સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ ર્નિણય બાદ હવે ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ કર્યા છે.
    સરકારનું માનવું છે કે નવી નીતિનો હેતુ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને સારી બનાવવા અને એકેડમિક પરફોર્મંસમાં સુધાર લાવવાનો છે.
    મંત્રાલયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધાર કરવાના હેતુથી નો ડિટેન્શન પોલિસીને ખતમ કરવાનો ર્નિણય કર્યો છે. આ નીતિ લાંબા સમયથી ચર્ચામાં હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ ક્લાસ ૫ અને ૮માં વાર્ષિક પરીક્ષામાં નિષ્ફળ થનારા વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવશે. નવી વ્યવસ્થા અનુસાર નિષ્ફળ વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જાે આ વિદ્યાર્થીઓ બીજીવાર નાપાસ થાય છે તો તેને આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે. પરંતુ સરકારે તે પણ સ્પષ્ટ કર્યું કે ધોરણ ૮ સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી બહાર કાઢવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું કે આ ર્નિણય બાળકોના અભ્યાસનું પરિણામ સુધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે આ પગલું જરૂરી સમજવામાં આવ્યું છે.
    મંત્રાલયે વિશેષ રૂપથી ધોરણ ૫ અને ધોરણ ૮ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    Post Views: 358
    નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાનો ર્નિણય હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન
    Previous Articleમુસ્લિમોએ ભક્તો પર કરી પુષ્પવર્ષા, મુઝફ્ફરનગરમાં ૫૪ વર્ષ જૂનાં શિવ મંદિરમાં થઈ પૂજા
    Next Article ગુજરાતભરમાં ધુમ્મસની ચાદર છવાઈ, રાજસ્થાન પર સક્રિય સિસ્ટમ ગાજવીજ સાથે વરસાદ લાવશે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.