સુરત, તા.૩૦
સુરત શહેરની અંદર ટ્રાફિકને લઈને છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવામાં આવે, વાહનચાલકો રોંગ સાઈડમાં ન આવે, હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રાખે આ પ્રકારના નિયમો વાહનચાલકો યોગ્ય રીતે પાલન કરે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાેકે હવે રાજ્ય ગૃહમંત્રીના સૂચન મુજબ સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઇઆર સુધીનો ગુનો દાખલ થશે.
આવનાર વર્ષ સુરતીઓ માટે ટ્રાફિક નિયમોને પાલન કરનારો વર્ષ પુરવાર થશે કારણ કે હવે રાજ્ય સરકાર ટ્રાફિક નિયમનને લઈને વધુ સખતાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને મ્યુનિસિપલ સાથે સંયુક્ત રીતે બેઠક કરીને ટ્રાફિક નિયમન વિશે વિસ્તૃત બેઠક કરી હતી.સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક એક મોટો પડકાર બની રહી છે. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવા માટેના ર્નિણય કર્યા હતા. તે મુજબનું કામ પણ સુરત શહેરમાં છેલ્લા ત્રણથી ચાર મહિનામાં જાેવા મળ્યું છે. ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ શહેરમાં અકસ્માતો ઓછા થયા છે, પરંતુ હજી ઘણા લોકો સતત ટ્રાફિક સિગ્નલ તોડતા હોવાનું જણાય આવ્યું છે. તેમ જ લોકો રોંગ સાઈડ ઉપર પણ ખૂબ મોટા પ્રમાણેની અંદર વાહન હંકારી રહ્યા છે. જેને કારણે શહેરમાં અકસ્માતો પણ થયા છે આ તમામ બાબતને હવે લોકોએ ગંભીરતાથી લેવી પડશે કારણ કે આવનાર દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી લીધી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, રાજ્ય ગૃહમંત્રી, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આવનાર દિવસોમાં ટ્રાફિક નિયમનને લઈને વધુ કડકાઈ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ગંભીર મુદ્દો એવો સામે આવ્યો છે કે, સિગ્નલ ઉપર વાહનચાલકો જ્યારે એકથી બે સેકન્ડ જાેતા હોય છે ત્યારે પોતાનું વાહન ખૂબ ઝડપથી હંકારતા હોય છે. તેને કારણે અન્ય લોકોના જીવ પણ જાેખમમાં મુકાઈ જાય છે. કારણ કે સિગ્નલ બંધ થતાની સાથે લોકો રોકાઈ જતા નથી, પરંતુ બે સેકન્ડ ત્રણ સેકન્ડ સુધી વધુ સમય લઈને સિગ્નલ પસાર કરવા માટેનો પણ પ્રયાસ કરતા હોય છે. સામેથી જ્યારે સિગ્નલ ગ્રીન થઈ જાય છે ત્યારે સામેના છેડાથી વાહનચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરે છે. જેથી માત્ર બેથી ત્રણ સેકન્ડની ઉતાવળના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબત ખૂબ જ ગંભીર છે આવનાર દિવસોમાં આવા વાહનચાલકો સામે એફઆઇઆર કરવા માટેનું પણ અમે વિચારી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર જે વાહન ચાલકો થૂંકી રહ્યા છે, તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પણ એફઆઇઆર દાખલ કરવાના છીએ. શહેર પોલીસ પાલિકા જાેડે સંકલન સાંધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી એફઆઇઆર દાખલ કરશે. શહેર પોલીસ ૪૫ દિવસ બાદ હેલ્મેટની અમલવારી શરૂ કરશે.