ગાંધીનગર,તા.૨૨
ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ ૨૭ બેઠક થશે અને કામકાજના ૨૬ દિવસો રહેશે. ૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ, જાહેર હિતમાં ઓન લાઈન ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી ૫૪૦૦ અને ગ્રામ્યમાંથી ૫૬૦૦ વાંધા અરજીઓ આવી છે. ૧૧,૦૪૬ અરજીઓ મળી છે જેમાં ૬૧% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે.
જ્યારે જંત્રીના દર વધારે છે એવી ૧૭૫૩ અરજી કરવામાં આવી છે. એટલું જ નહી જંત્રીના દર ઓછાથી વધારવાની પણ અરજીઓ પણ મળી છે. તમામ અરજીઓને કમિટી સલાહ સૂચન સાથે વિગતે રાજ્ય સરકારને મોકલશે. ત્યારબાદ આગામી દિવસોમાં જંત્રીને લઇને અંતિમ ર્નિણય લેવાશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારને મળેલા વાંધા સૂચનો પર ચર્ચા કરીને પછી જંત્રી મુદ્દે ર્નિણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લા લેવલે સ્ક્રૂટિની થયા બાદ આ અરજીઓ મળી છે. રાજ્ય કક્ષાએ આખરી થયેથી આની જાહેરાત કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લડાની દ્વારા કરવામા આવેલા આક્ષેપ જેમાં રાજકોટમાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ મુદ્દે ફરીયાદની ગ્રેવીટી જાેયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી થવાની હતી જેમાં બનાસકાંઠા જિલ્લાનું નવસર્જન થતાં અને ખેડા જિલ્લા પંચાયતના નડિયાદ મહાનગરપાલિકામાં ૧૦ જેટલાં ગામો ભળી જતાં પુનઃ ગઠન થવાનું હોય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.
