Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત, બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો

    ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત, બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    સુરત,તા.૨૨
    સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનો આરટીઈ અંતર્ગત શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના પુરાવાના આધારે એડમિશન મેળવનારા ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
    જેમાંથી ૬૮ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા કરતાં વધુ કમાણી ધરાવતાં હતાં. જેમાંથી કેટલાંક વાલી ૭૪ લાખની હોમલોન ભરી રહ્યા છે. ત્યારે કેટલાંક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, આવકના દાખલામાં પોતાની આવક ઓછી દર્શાવી ગેરકાયદે પોતાના બાળકોનું એડમિશન લઈ લીધું છે. ડીઇઓ દ્વારા શાળાઓને પણ આદેશ કરવામાં આવ્યો છે કે, જાે આવી કોઈપણ ઘટના સામે આવે તો તુરંત શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવું. જાેકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે ખોટા દસ્તાવેજ બનાવવા મુદ્દે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ સિવાય જે ૧૦૦ જરૂરિયામંદ બાળકો હતાં જે આ ભ્રષ્ટાચારના કારણે આરટીઈ હેઠળ પ્રવેશ ન મેળવી શક્યાં તેમના બંધારણીય અધિકારના હનનનું વળતર કોણ ચૂકવશે? અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હવે આરટીઈ ની આ ૧૦૦ જગ્યા ખાલી રહેશે અને જે ખરેખર આ યોજના હેઠળ શિક્ષણના હકદાર હતાં તે પણ વંચિત રહી ગયાં. શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે જ દસ્તાવેજ યોગ્ય રીતે ચકાસવામાં કેમ નથી આવતા? ભ્રષ્ટ અધિકારીઓના કારણે ક્યાં સુધી આ બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે?

    Post Views: 786
    ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો
    Previous Articleજંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકાર
    Next Article લાલગેટ ખાતેથી પકડાયેલા ૧ કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈનો સૈફઅલી જામીન મુક્ત

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.