Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સંભલમાં જામા મસ્જિદ બહાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

    સંભલમાં જામા મસ્જિદ બહાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

    City Today DailyBy City Today DailyJanuary 25, 2025

    સંભલ, તા. ૨૫
    પ્રજાસત્તાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં દેશભક્તિ, એકતા અને સૌહાર્દનું દ્રશ્ય જાેવા મળ્યું હતું. આ દરમિયાન શુક્રવારની નમાજ અદા કરીને બહાર નીકળેલા પૂજારીઓએ હાથમાં ત્રિરંગો લઈને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    મહત્વનું છે કે ૨૪મી નવેમ્બર ૨૦૨૪ના રોજ જામા મસ્જિદની અંદર સર્વે દરમિયાન મસ્જિદની આસપાસના વિસ્તારમાં હિંસા થઈ હતી, જે બાદ ભારે તણાવ જાેવા મળ્યો હતો. આ ઘટનાના બે મહિના બાદ ગણતંત્ર દિવસ પહેલા લોકોએ એકતા સાથે દેશભક્તિનો સંદેશ આપ્યો છે.
    શુક્રવારના રોજ, જ્યારે નમાજીઓ શુક્રવારની નમાજ અદા કરીને જામા મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે દ્રશ્ય અલગ હતું. મસ્જિદની સામે દેશભક્તિની તસવીર જાેવા મળી હતી. અહીં મોટી સંખ્યામાં હાજર નમાજીઓએ હાથમાં ત્રિરંગો પકડ્યો હતો. નમાઝીઓ હાથમાં ત્રિરંગો લહેરાવીને અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને દેશભક્તિના રંગમાં જાેવા મળ્યા હતા.
    ઉલ્લેખનીય છે કે, ૨૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ, સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન વિસ્તારમાં હિંસા થઈ હતી. તે પછી શુક્રવારની નમાજ પહેલા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવે છે. સઈદ અખ્તર અને અન્ય લોકોએ ગણતંત્ર દિવસ પહેલા મસ્જિદની સામે ઉપાસકોને ત્રિરંગા ધ્વજનું વિતરણ કર્યું. આ દરમિયાન તમામ નમાઝીઓ મસ્જિદની સામે એકઠા થઈ ગયા હતા. તમામ નમાઝીઓ હાથમાં ત્રિરંગો પકડીને દેશભક્તિનો સંદેશ આપી રહ્યા હતા.
    તિરંગાનું વિતરણ કરનારા મુસ્લિમ ભાઈઓએ કહ્યું કે અમને અમારા દેશના તિરંગા પર ગર્વ છે. પ્રજાસત્તાક દિવસ પહેલા દેશભક્તિનો સંદેશ આપવા માટે આજે અમે જામા મસ્જિદની બહાર તિરંગાનું વિતરણ કર્યું છે અને લોકોને પોતાના ઘર અને દુકાનોની બહાર ત્રિરંગો લગાવીને દેશભક્તિનો સંદેશ આપવા અપીલ કરી છે.

    Post Views: 479
    સંભલમાં જામા મસ્જિદ બહાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
    Previous Articleઅમૂલે ઘટાડ્યા દૂધના ભાવ, અમુલ દૂધના ૧ લીટરના પાઉચમાં એક રૂપિયાનો ઘટાડો
    Next Article કેજરીવાલ ઇમાનદાર અને રાહુલ બેઇમાન,આમ આદમી પાર્ટીના નવા પોસ્ટરથી રાજકીય ઘમસાણ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.