CITY TODAY :27
વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા ફી ચૂકવી હતી
બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે. હકીકતમાં વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા ફી ચૂકવી હતી. તેનો આધાર ૨૭.૫ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કિંમત જમીનના આધારે નહી પરંતુ પૂરા બંગલાના આધારે જાેવામાં આવી હતી. આ એક ભૂલ હતી. આ અંગે જયારે શાહરૂખના પરિવારને ખબર પડી ત્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાને આ બાબતે એક્શન લેતા રીફંડની માંગ કરી હતી. હવે આ મામલે અપડેટ આવ્યું છે. રીપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર આ ભૂલના કારણે શાહરૂખ ખાનને તેના બંગલા ‘મન્નત’ માટે ૯ કરોડ રૂપિયા આપશે. જાે શાહરૂખના આ બંગલાની વાત કરીએ તો તે બેન્ડ સ્ટેન્ડ બાંદ્રા પશ્ચિમમાં આવેલો છે. આ બંગલો ૨૪૪૬ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. શાહરૂખે સરકારની નીતિ હેઠળ આ ર્નિણય લીધો હતો અને પોતાના ઘરનાં માલિકીના હકો મેળવવા માટે આ પગલું ભર્યું હતું. જ્યારે શાહરૂખે વર્ષ ૨૦૨૨માં ન્ક્વર્જન ફીની ગણતરી કરી ત્યારે તેને સરકારની આ ભૂલની ખબર પડી હતી. હવે શાહરૂખને સરકારની આ ભૂલ માટે ૯ કરોડ રૂપિયા મળશે. જાે શાહરૂખની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવી રહી છે.
