Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 20
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ

    લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ

    City Today DailyBy City Today DailyFebruary 16, 2025

    પટણા, તા.૧૬
    નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ કરી છે. વધુમાં મહાકુંભના લીધે થઈ રહેલી નાસભાગ અંગેના સવાલ પર લાલુ યાદવે કહ્યું કે, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે…કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ છે.
    પ્રયાગરાજ ત્રિવેણીમાં અત્યારસુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોને પવિત્ર કુંભમાં સ્નાન કર્યું છે. અત્યારસુધીમાં લાખો-કરોડો ભક્તો કુંભ સ્નાન કરી રહ્યા છે. દેશના સામાન્ય લોકોથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક જણ કુંભ સ્નાન કરવા માટે આતુર છે. પરંતુ, વિપક્ષ નેતા લાલુ યાદવના કુંભ સ્નાન પરના નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવી શકે છે. કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક મહાકુંભની નિંદા તેમને ભારે પડી શકે છે. ઉલ્લેખનીય છે, લાલુ યાદવ અને તેમનો પરિવાર પણ ખૂબ જ ધાર્મિક છે, પરંતુ કુંભ સ્નાનને લઈને તેમનું આ નિવેદન એક નવા વિવાદને જન્મ આપી શકે છે. કુંભ પર લાલુ યાદવના નિવેદન પર જેડીયુ એ તેમને રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું છે કે રાજનીતિને બદલે આપણે એ વાત કરવી જાેઈએ કે આપણે કેવી રીતે ઘાયલોને અને મૃતકોના પરિવારોને મદદ કરી શકીએ અને રાજકારણ ન કરીએ. તેમણે કહ્યું કે જનતા દળ યુનાઈટેડ એવા પરિવારોની સાથે છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેડીયુના પ્રવક્તાએ કહ્યું કે રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર પીડિતોને તમામ સંભવિત મદદ કરવા તૈયાર છે.

    Post Views: 480
    કુંભનો કોઈ અર્થ નથી નકામો છે કુંભ...કુંભ...કુંભનો કોઈ મતલબ નથી બધુ વ્યર્થ લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું
    Previous Articleગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા
    Next Article મૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે? : કોંગ્રેસ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.