Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 22
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ

    ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ

    City Today DailyBy City Today DailyJune 27, 2025

    સુરત, તા.૨૭
    સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડીપુર લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદને કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડીપૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂર માં લોકો પ્રભાવિત છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે. શહેરમાં ખાડીપુરનો ૫મો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી પુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાખડી તમાશો કરી રહ્યાં છે.જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે. લોકોનો રોષ હવે બેનરમાં છલકાઇ રહ્યો છે. સોસાયટીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈને હવે લોકોમાં ભારે અસંતોષ છે. ખાડી કિનારાના પરવત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ખાડી પુર નો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષ વાળાએ આ લાઈનમાં વોટ માંગવા આવવું નહી. જાેકે, આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડી પુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશા કરી રહ્યાં છે તે જાેતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનર લાગી શકે છે.

    Post Views: 211
    ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ
    Previous Articleપૂર બાદ ચારેયતરફ ગંદકી જ ગંદકી, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ
    Next Article ૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.