સિટી ટુડે) અમદાવાદ,તા. ૨૭ ૧૪૮ મી રથયાત્રા કોમી એકતાના માહોલમાં શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ તે દરમ્યાન છેલ્લા ૩૦ વર્ષની પરંપરાને નિભાવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને તથા રથયાત્રિકોને મોમેન્ટો અર્પણ કરી તેમજ શાલ ઓઢાઢી, ફૂલ હાર સાથે શાંતિના દૂત કબૂતરોને ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમબિરાદરોનો આભાર વ્યક્ત કર્યો હતો. દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું તેમજ શાંતિના દૂતો કબૂતરોને ઉડાડીને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું. ઉપરોકત સમયે સામાજિક આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ, યુસુફ માર્ટીન, પૂર્વ કાઉન્સિલર મોનાબેન ભૂપેશ પ્રજાપતિ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા, માજીદ ઠાકોર, ભુરા બાપુ, મિલન શાહ, પકાભાઈ દાસ, જ્જેશ શર્મા, ઈશાક બોર્ડર, આસીફ અન્ના, ભૂપેશ પ્રજાપતિ, રાજુ સોલંકી, રમેશ રાઠોડ, સલીમ શેખ, સઈદમામા, સાબીર મિરઝા, સાબીર દૂધેશ્વર, મૈયુ અજમેરી, અરસલાન શેખ, સમદભાઈ, લિયાકત, ફહીમ અજમેરી, પ્રવિણ વાણિયા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. Post Views: 553 ગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગMay 5, 2026
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયોDecember 25, 2025