Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    સુરત, તા.૦૩
    સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો. અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અભ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા. તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરીસ્થિતિ તનાવપૂર્ણ બની હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને રિકન્સ્ટ્રકશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    Post Views: 247
    @limayat @SURATPOLICE
    Previous Articleપૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ
    Next Article ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.