Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    સુરત, તા.૦૩
    સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો. અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અભ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા. તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરીસ્થિતિ તનાવપૂર્ણ બની હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને રિકન્સ્ટ્રકશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    Post Views: 221
    @limayat @SURATPOLICE
    Previous Articleપૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ
    Next Article ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.