Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી

    ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી

    City Today DailyBy City Today DailyAugust 11, 2025

    સુરત, તા.૧૧
    આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ જ અનુસંધાને, ભૂતકાળમાં વિવિધ ગંભીર ગુનાઓમાં ઝડપાયેલા ૮૨ જેટલા આરોપીઓની ઓળખ પરેડ યોજીને તેમને કાયદાનું પાલન કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.
    સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોઢવણિક વાડી ખાતે ચોકબજાર, લાલગેટ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનોના ૮૨ જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ઓળખ પરેડ સુરત ડીસીપી પિનાકીન પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ દરમિયાન, આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.‘ એક જ સ્થળે ભેગા કરવામાં આવેલા તમામ ૮૨ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના હાલના રહેઠાણ અને કામ-ધંધાના સ્થળો સહિતની વિગતો તપાસવામાં આવી હતી. ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, જાે કોઈપણ આરોપી ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે, તો સુરત પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
    તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લેવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ બિલકુલ સાંખી નહીં લે. જાેકે, પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ છોડીને સારા નાગરિક બનવા ઈચ્છતા આરોપીઓ માટે હકારાત્મક વલણ પણ દાખવ્યું હતું. ડીસીપી પરમારે આવા આરોપીઓને ખાતરી આપી હતી કે જાે તેમને પોલીસની મદદની જરૂર હોય, તો પોલીસ તેમને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. આનાથી ગુનાહિત જીવન છોડીને મુખ્ય ધારામાં પાછા ફરવા ઈચ્છતા લોકોને પ્રોત્સાહન મળશે. ત્રણેય પોલીસ સ્ટેશનો દ્વારા લાવવામાં આવેલા આરોપીઓમાં મારામારી, સ્નેચિંગ, હત્યાનો પ્રયાસ અને લિસ્ટેડ બુટલેગર જેવા ગંભીર ગુનાના આરોપીઓનો સમાવેશ થતો હતો. આ ઓળખ પરેડનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.
    ડીસીપી પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે જ આ ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આરોપીઓ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તેમની સામે પોલીસ હવે વધુ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારની ઓળખ પરેડ દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત તત્વોને શહેરની શાંતિ અને સલામતી જાેખમમાં મૂકવા દેવામાં આવશે નહીં, અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

    Post Views: 260
    ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી
    Previous Articleમોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા, સગીર સહિત ૩ની ધરપકડ, લોહીલુહાણ યુવક જીવ બચાવવા કરગરતો રહ્યો, લોકોએ વીડિયો બનાવ્યો
    Next Article SIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.