Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં

    સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં

    City Today DailyBy City Today DailyDecember 16, 2024

    નવી દિલ્હી, તા.૧૬
    નશામાં ચૂર રહેવું એટલે તેનો અર્થ કૂલ દેખાવ નથી. તેનાથી દૂર રહેવુ જાેઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસની સુનાવણી કરતાં દેશના યુવાનોને સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, આજના યુવાનો વ્યસનને કૂલ સ્ટેટસ સાથે જાેડે છે. તેની કુટેવને સોશિયલ સ્ટેટસ બનાવી રહ્યા છે. જે અત્યંત દુઃખદ છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહે ડ્રગ તસ્કરી મામલે સુનાવણી કરતાં આ નિવેદન આપ્યું હતું. આ કેસમાં અંકુશ વિપિન કપૂર પર આરોપ છે કે, તે ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેણે પાકિસ્તાનના દરિયાઈ માર્ગથી મોટાપાયે હેરોઈનની દાણચોરી ભારતમાં કરાવી હતી. જસ્ટિસ નાગરત્નાએ ચુકાદો સંભાળવતી વખતે કહ્યું કે, વ્યસનની કુટેવની યુવાનોની સામાજિક, આર્થિક અને માનસિક સ્થિતિ પર અત્યંત ખરાબ અસર કરે છે.તે દેશના યુવાનોની ચમકને જ નષ્ટ કરી દે છે. તેમનું સંપૂર્ણ તેજ છીનવી લે છે. નશાની કુટેવથી યુવાનોને બચાવવા માટે વાલીઓ, સમાજ અને સરકારી એજન્સીઓને સંયુક્તપણે પ્રયાસ કરવા પડશે. અમે પણ અમુક માર્ગદર્શિકાઓ નક્કી કરીશું અને તે મુજબ કાર્યવાહી કરીશું જેથી યુવાનોને બચાવી શકાય.
    કોર્ટે વધુમાં કહ્યું કે, ચિંતાની વાત છે કે, સમગ્ર ભારતમાં ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું છે. જેની અસર સમાજના તમામ વર્ગ, વયજૂથ અને ધર્મ પર થઈ રહી છે. ડ્રગ્સની આવકનો ઉપયોગ દુશ્મન હિંસા અને આતંકવાદ ફેલાવવા કરી રહ્યા છે.
    આજની યુવા પેઢીમાં ડ્રગ્સ-નશાની લતથી તેમના ભવિષ્ય પર અસર થાય છે. ડ્રગ્સની દાણચોરી કરનારા મોટાભાગે બચી જાય છે. પરંતુ તેનો ભોગ બાળકો-યુવાનો બને છે. વાલીઓની જવાબદારી છે કે, બાળકોને સુરક્ષિત માહોલ પ્રદાન કરે. જાે બાળકો ભાવનાત્મક રૂપે પરિવાર સાથે જાેડાયેલા હોય તો તેમનામાં સંસ્કારોનું સિંચન થાય છે. અને તેઓ નશાના કૂવામાં પડતાં બચી શકે છે.

    Post Views: 323
    નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ
    Previous Articleકોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું
    Next Article પ્રિયંકાના બેગની ભારે ચર્ચા, આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.