Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની જશે : મોહન ભાગવત

    કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની જશે : મોહન ભાગવત

    City Today DailyBy City Today DailyDecember 20, 2024

    નવી દિલ્હી, તા.૨૦
    આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે ટોણો પણ માર્યાે હતો કે જે લોકો આવા મુદ્દા ઉઠાવે છે તેઓ વિચારે છે કે તેઓ હિન્દુ નેતા બની જશે. આરએસએસ ચીફ સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વાત કરી રહ્યા હતા.
    ભાગવતે કહ્યું, ‘અમે લાંબા સમયથી સુમેળમાં રહીએ છીએ. જાે આપણે આ સદ્ભાવનાને દુનિયામાં ફેલાવવી હોય તો આપણે એક મોડેલ બનાવવું પડશે. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ આવા જ મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કે તે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે.તેમણે કહ્યું, ‘રોજ એક નવો મામલો સામે આવી રહ્યો છે. આને કેવી રીતે મંજૂરી આપી શકાય? ભારતે બતાવવું પડશે કે આપણે સાથે રહી શકીએ છીએ. જાેકે, આ દરમિયાન તેમણે કોઈ ચોક્કસ મુદ્દા કે સ્થળનું નામ લીધું ન હતું.
    તાજેતરના સમયમાં, મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની અનેક માંગણીઓ કોર્ટમાં પહોંચી છે.તેમણે કહ્યું કે બહારના કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવે. તેમણે કહ્યું, ‘પણ હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.
    આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેઓ સરકાર ચલાવે છે. વર્ચસ્વના દિવસો ગયા. તેમણે કહ્યું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનમાં પણ આવી જ ધર્માંધતા જાેવા મળી હતી, જાેકે તેમના વંશજ બહાદુર શાહ ઝફરે ૧૮૫૭માં ગાયની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
    તેમણે કહ્યું, ‘અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓને આપવાનું નક્કી થયું હતું, પરંતુ અંગ્રેજાેએ બંને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી. ત્યારથી, અલગતાવાદની લાગણી અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.’ભાગવતે કહ્યું કે જાે દરેક પોતાની જાતને ભારતીય માને છે તો શા માટે સર્વાેપરિતાની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
    આરએસએસના વડાએ કહ્યું, ‘કોણ લઘુમતી અને કોણ બહુમતી? અહીં દરેક વ્યક્તિ સમાન છે. આ દેશની પરંપરા એવી છે કે દરેક વ્યક્તિ પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરી શકે છે. માત્ર જરૂરિયાત છે સદ્ભાવનાથી જીવવાની અને નિયમો અને કાયદાઓનું પાલન કરવાની.

    Post Views: 517
    કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની જશે : મોહન ભાગવત
    Previous Articleજીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુને બોગસ બેંક એકાઉન્ટના રવાડે ચડાવવામાં હુસેન-ડીનો હાથ
    Next Article ચીટીંગના ગુનામાં નાસતા ફરતા રાણીતળાવના ઉમર ચાંદીવાલાને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.