Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    City Today DailyBy City Today DailyFebruary 4, 2025

    સુરત, તા.૦૪
    સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે. ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે.
    કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે, મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કામગીરી ન્યાય પૂર્ણ થવી જાેઈએ. માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જાેઈએ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે, આજે લાઈટ એન્ડ ફાયરની બેઠક હતી. જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું. ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રકચરોને લઈને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મારું કહેવું એવું છે કે, માત્ર કતારગામ ઝોનમાં નહીં, પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જાેઈએ.અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ આપનાવવામાં આવી રહી છે.
    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી. ખેતરોની અંદર દ્ગછ થયા વગરની જમીનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે. એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી. અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિફ્ટ છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે. રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સિલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી. તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાય પૂર્ણ કામગીરી કરવામાં આવી નથી.

    Post Views: 2,415
    અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનપા કમિશનર શરમ કરો
    Previous Articleબલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?
    Next Article સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા, સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના, બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.