Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાહુલ-પ્રિયંકા ગાંધી પર ભાજપ સાંસદની વિવાદિત ટિપ્પણી, આ લોકો પાપ ધોઇને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એ જ કામ કરશે, હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું

    રાહુલ-પ્રિયંકા ગાંધી પર ભાજપ સાંસદની વિવાદિત ટિપ્પણી, આ લોકો પાપ ધોઇને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એ જ કામ કરશે, હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું

    City Today DailyBy City Today DailyFebruary 14, 2025

    સુરત, તા.૧૪
    સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે ડાયમંડ ફેક્ટરી પણ ગયા હતા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ અને પ્રિયંકા ૧૬મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે અને આ યાત્રાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “તેઓએ એટલા પાપ કર્યા છે કે મા ગંગાની પણ એક સીમા છે.”
    તેમણે વધુમાં કહ્યું હતું કે, પૂંછડી ત્યાં સુધી જ સીધી હોય છે જ્યાં સુધી પાઈપમાં હોય પણ પાઈપમાંથી નીકળ્યા પછી તે ફરી વાંકી થઈ જાય છે. હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું. માત્ર ગાંધી નામ રાખવાથી કોઈ ગાંધી બની જતું નથી. તેઓના પાપ એટલા વધુ છે કે ગંગાની પણ એક મર્યાદા છે. ગંગા અને યમુના એમની પાપ કેવી રીતે ધોઈ શકશે? આ લોકો પાપ ધોઈને મહાકુંભમાંથી આવશે, પણ ફરી પાછા આવીને પાપ કરશે.તેઓની આદત જ પાપ કરવાની છે. જાે તેઓ આ ઉદ્દેશ્યથી મહાકુંભ જઈ રહ્યા છે કે, એમના પાપ મટી જશે, તો તે તેમનું ભ્રમ છે.” વિપક્ષે મહાકુંભમાં અવ્યવસ્થા અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેને લઈને રાધા મોહનદાસ અગ્રવાલે કહ્યું કે,”વિપક્ષ જે કંઈ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે, તેનાથી અમને કોઈ વાંધો નથી. આ લોકતંત્ર છે. વિપક્ષે સત્તાપક્ષ પર સતત નજર રાખવી જાેઈએ. જાે ખામીઓ ન હોય તો તેને શોધીને લાવવી જાેઈએ, જેથી સત્તાપક્ષ તેને સુધારી શકે. જાે વાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હોય, તો હું આ આખા પરિવારને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું.”

    Post Views: 363
    આ લોકો પાપ ધોઇને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એ જ કામ કરશે રાહુલ-પ્રિયંકા ગાંધી પર ભાજપ સાંસદની વિવાદિત ટિપ્પણી હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર' કહું છું
    Previous Articleશહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ, સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા
    Next Article લૂંટ વિથ ગેંગરેપના આરોપી ઝડપાયા, એકવારમાં હવસ ન સંતોષાતાં બે કલાકમાં મહિલા પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું, મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.