નવી દિલ્હી, તા.૨૪
બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે.
પીએમના આ નિવેદન સામે કોંગ્રેસ અને સીપીઆઈ-એમએ ચૂંટણીપંચમાં અલગ-અલગ ફરિયાદ કરી હતી. કોંગ્રેસે ચૂંટણીપંચને પીએમ મોદીના ‘સંપત્તિની વહેંચણી’ પરના નિવેદન પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું.
એ જ સમયે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ એક પોસ્ટમાં ચૂંટણીપંચને આ ફરિયાદ પર ધ્યાન આપવા અને પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે આ કેસમાં હ્લૈંઇ નોંધવાની પણ માગ કરી હતી.
અગાઉ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આનો અર્થ એ છે કે તેઓ મિલકત એકઠી કરશે અને કોને વહેંચશે, જેમનાં વધુ બાળકો છે તેમને- ઘૂસણખોરોને વહેંચશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? તમે આ સ્વીકારો છે?. મુસ્લિમ લીગની છાપ ધરાવતા આ મેનિફેસ્ટોના બાકીના ભાગમાં ડાબેરીઓનું વર્ચસ્વ છે. આજની કોંગ્રેસ પાસે ન તો સિદ્ધાંતો બચ્યા છે કે ન નીતિઓ. એવું લાગે છે કે કોંગ્રેસે બધું કોન્ટ્રેક્ટ પર આપ્યું છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટીને આઉટસોર્સ કરવામાં આવી છે. આવી કોંગ્રેસ દેશના હિતમાં કોઈ કામ ન કરી શકે.
મોદીએ કહ્યું હતું કે જ્યાં કોંગ્રેસ રહે છે ત્યાં વિકાસ થઈ શકતો નથી. કોંગ્રેસે ક્યારેય ગરીબોની પરવા કરી નથી, ન તો વંચિતોનો વિચાર કર્યો છે. કોંગ્રેસ માટે એટલું જ કહી શકાય કે તે કારેલા છે, જેમાં ઉપર લીમડો ઉમેરવામાં આવ્યો છે. પ્રથમ, તે એક પરિવાર આધારિત પક્ષ છે અને એના પર તે એકસમાન ભ્રષ્ટ પક્ષ છે.