અમદાવાદ, શનિવાર
ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ પર કરેલી કરેલી ટિપ્પણીને લઇ રાજપૂત સમાજમાં ભારે રોજ જાેવા મળી રહ્યો છે છેલ્લા ૩૮ દિવસથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી છે. આ મહાસંમેલનમાં સંબોધન કરતાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ પીએમ મોદીને કહ્યું કે, ‘સાહેબ તમે બે દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે પશાકાકાને કેમ સંતાડી દીધા?’
જામનગરમાં બે દિવસ પહેલા પીએમ મોદીએ જંગી જનસભાને સંબોધી હતી. આ સભામાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાની ગેરહાજરી સૌને ઉડીને આંખે વળગે તેવી હતી. રુપાલા બિમાર હોવાનું કારણ આગળ ધરવામા આવ્યું હતુ જાે કે, તેઓ ખરેખર બિમાર હતા કે પછી તેમને બિમાર પાડી દેવામા આવ્યા છે તેવા સવાલો ઉઠાવવા આવી રહ્યા છે. ત્યારે આ મામલે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં કરણસિંહ ચાવડાએ પણ સવાલો ઉઠાવ્યા હતાં
મહાસંમેલનમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ‘સાહેબ તમે બે દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે પશાકાકાને કેમ સંતાડી દીધા?’ મોટા સાહેબ પરષોત્તમ એવા સારા વ્યક્તિ હતા તો તેમને ક્યાં સતાડી દીધા હતા. સ્ટેજ પર પશોકાકો ક્યાંય જાેવા મળ્યા નહીં. સાહેબને એવું હતુ કે, બધા શુ કરી લેશે, થાકી જશે. જામનગરના કરંટને તાળીઓથી વધાવવો જાેઈએ. સમાજ માટે, બેન બેટી માટે તમારુ તપ ૭ તારીખ સુધી તુટવા દેવાનું નથી. તેમણે કહ્યું કે, ક્ષત્રિયોએ માંગણી કરી કે, રૂપાલાને ટિકિટ રદ કરો. ભાજપ વાળા મહિલા સશકિતકરણની વાતો કરે છે. જ્યારે ૭ લાખ ભેગા થયા ત્યારે અમને બોલાવ્યા, લોકશાહીમાં મત એજ શસ્ત્ર. તમામ સમાજાેને ક્ષત્રિયો પર ટેકો છે. તમારે બાપુ બનવાનું છે સમાજ સાથે છે.
વધુમાં તેમણે કહ્યું કે, રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના મંત્રી અમે તેમનું નામ બદલી નાખ્યુ છે. પશાકાકાપ આપણે તારીખ ૨૪ થી આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન કંઈ માંગવા માટે નથી ૭૦ વર્ષમાં બુજુર્ગ અને અનુભવી પીઢ આગેવાને વાણી વિલાસ કર્યો છે ઈતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજામહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી.