Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી, સરકારે લેખિતમાં સ્વીકાર્યું

    ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી, સરકારે લેખિતમાં સ્વીકાર્યું

    City Today DailyBy City Today DailyDecember 31, 2024

    ગાંધીનગર,તા.૩૧
    ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત હવે રાજ્ય સરકારે જ આડકતરી રીતે લેખિતમાં સ્વીકાર્યું છે. અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે સીપી અને એસપીને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ એફઆઇઆર તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
    હાલમાં જ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન ઑફ ટૅક્નોલૉજીકાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ૨૭ ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને સીપીને ચાર ફકરાનો પત્ર લખીને ટકોર કરી છે કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જાે સામાન્ય માણસની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરીશું.
    અધિક ગૃહ સચિવ એમ. કે. દાસનો આ પત્ર જાહેર થયા બાદ પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કામ કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય લોકોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર છે? તો હવે જાેવાનું એ રહ્યું છે કે, અધિક ગૃહ સચિવ એમ. કે. દાસના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.
    નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોવાથી ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવવામાં આવે છે.

    Post Views: 570
    ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી સરકારે લેખિતમાં સ્વીકાર્યું
    Previous Articleનીતિશ કુમાર ફરી પલટશે? મોદીને મળવા દિલ્હી પહોંચ્યા પણ નિરાશા, રાહુલ ગાંધીનું ત્નડ્ઢેંને આમંત્રણ
    Next Article બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ, વધુ ૨ ઝોલાછાપ તબીબોની ધરપકડ

    Related Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    August 16, 2026

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.