નવી દિલ્હી, તા.૧૨
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (૧૧મી જાન્યુઆરી) ૨૯ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જાે ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.
દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ ૧૯૯૮, ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૨૦માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ ૨૦૧૫માં છછઁ લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.
ટિકિટ કપાયા બાદ મોહન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, ‘ચોક્કસપણે ભાજપને લાગે છે કે આ તેમની બેઠક છે. જાે કોઈને પણ ભાજપ તરફથી ચૂંટણી લડાવશે તો તે જીતી જશે, આ એક મોટી ભૂલ છે. આગામી દિવસોમાં પાર્ટીને ખબર પડશે કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું અસ્તિત્વ શું છે. ફક્ત આ બેઠક પર જ નહીં, પછી ભલે તે બુરાડી હોય, ઘોંડા હોય, સીલમપુર હોય, ગોકલપુરી હોય કે નંદનગરી હોય. આ બેઠકો પર ભાજપનું શું થશે, તે તો સમય જ કહેશે.’
કોંગ્રેસમાં જાેડાવવા અંગે ઈનકાર કરતા મોહન સિંહ બિષ્ટ જણાવ્યું હતું કે, જાે પાર્ટી મને બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનું કહેશે, તો હું કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડીશ. હું ફક્ત કરાવલ નગર બેઠક પરથી જ ચૂંટણી લડશ. હું ૧૫મી અથવા ૧૬મી જાન્યુઆરી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
