Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » તમે કોચની મર્યાદાથી વધારે ટિકિટ શા માટે વેચો છો? નવી દિલ્હી સ્ટેશન દુર્ઘટના પર હાઈકોર્ટે રેલવેનો ઉધડો લીધો

    તમે કોચની મર્યાદાથી વધારે ટિકિટ શા માટે વેચો છો? નવી દિલ્હી સ્ટેશન દુર્ઘટના પર હાઈકોર્ટે રેલવેનો ઉધડો લીધો

    City Today DailyBy City Today DailyFebruary 19, 2025

    નવી દિલ્હી, તા.૧૯
    નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગનો મામલો હવે કોર્ટ પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, તમે અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરો. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામુ લખાવી આ દુર્ઘટના મામલે લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવા કહ્યું છે. તેમજ રેલવે બોર્ડમાં ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી લેવામાં આવેલા ર્નિણયોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.
    પીઆઇએલની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, તે એક કોચમાં પેસેન્જર્સ માટે ઉપલબ્ધ સીટ કરતાં વધુ ટિકિટ કેમ વેચે છે. જાે તમે એક કોચ માટે મુસાફરોની સંખ્યા નક્કી કરો છો, તો ટિકિટની સંખ્યા મર્યાદા કરતાં વધુ કેમ રાખો છે. આ એક મોટી સમસ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ મામલાને હળવાશમાં લેવામાં આવશે નહીં. રેલવે કાયદાનું પાલન કરવા બંધાયેલું છે. પીઆઇએલમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉચ્ચત્તમ સ્તરે વિચાર કરવામાં આવશે.
    ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રેલવે ૯૬૦૦થી વધુ નોન-રિઝર્વ ટિકિટ વેચી હતી. જાે અધિકારીએ કાયદાકીય જાેગવાઈઓનું પાલન કર્યું હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. જાે રેલવે પોતાના નિયમો અને જાેગવાઈઓનું પાલન કર્યું હોત તો, દુર્ઘટના ટળી હોત. આ પીઆઇએલ રાષ્ટ્રના હીતમાં છે. હું માળખાગત ઢાંચા અને નીતિગત મુદ્દાઓ પર ટીપ્પણીઓ કરી રહ્યો નથી.
    કોર્ટે જણાવ્યું હતું કે, પીઆઇએલ હાલની નાસભાગની ઘટના સુધી સીમિત નથી. તેમાં એક ડબ્બામાં યાત્રીઓની મહત્તમ સંખ્યા અને પ્લેટફોર્મ ટિકિટના વેચાણો સંબંધિત કાયદાકીય જાેગવાઈઓ લાગુ કરવાની માગ કરી છે. જાે કાયદાકીય જાેગવાઈઓ પર્યાપ્ત રૂપે લાગૂ કરવામાં આવે તો નાસભાગ જેવી ઘટનાઓથી બચી શકાય. આ મામલે આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે.

    Post Views: 415
    તમે કોચની મર્યાદાથી વધારે ટિકિટ શા માટે વેચો છો? નવી દિલ્હી સ્ટેશન દુર્ઘટના પર હાઈકોર્ટે રેલવેનો ઉધડો લીધો
    Previous Articleઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ૬૮ નગરપાલીકા પૈકી ૬૨ ઉપર ભગવો લહેરાયો, ૧ ટાઈ થઈ, કોંગ્રેસનાં સુપડા સાફ
    Next Article ૭ મહિનાની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારા હેવાનને ફાંસીની સજા કરાઇ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.