Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,

    શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન
    ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,

    (સિટી ટુડે) સુરતઃ ૨૬

    કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરતના ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.- ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૮૬/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ૪૦૯, ૪૨૦, ૧૧૪ તથા ઈનામ પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના (નિયંત્રણ) કાયદો, ૧૯૭૮ ની કલમ – ૪, ૫, ૬ મુજબનો ગુન્હો તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નોંધાયેલ. સદર ગુન્હાના કામે આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓની તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નામદાર કોર્ટમાં રજુ કરવામા આવેલ અને નામદાર કોર્ટે આરોપી- જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓને તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલ. આમ, આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજથી જ્યુડીશ્યલ કસ્ટડીમા હતા અને ત્યારબાદ ઉપરોક્ત ગુન્હાના કામે તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ નામદાર કોર્ટમા રજુ થઈ ગયેલ છે.
    હાલના ગુન્હાની કામની ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામાં આવે તો,
    “આ કામે હકીકત એવી રીતે છે કે બ્લોક ઓરા કંપનીના માલીક ફિરોઝ દીલાવરભાઇ મુલતાની રહે 381 101 भीता એપાર્ટમેન્ટ રેલ્વે ગોદીની સામે અંકલેશ્વર જી – ભરૂચ ૨. નીતીનભાઈ જગત્યાની રહે.દુબઈ નાઓએ તેમના સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતા ૩. કાસીફ આરીફભાઈ મુલતાની, રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત ૪. એઝાઝ આરીફ ભાઈ મુલતાની રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત ૫. જાવીદ પીરૂભાઇ મુલતાની, રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત નાઓ મારફતે તા.૧૫/૦૫/૨૦૨૨ ના રોજ થી અમારી પાસેથી તેઓની બ્લોક ઓરા કંપની ના બ્લોક ઓરા કોઇનના નામથી રોકાણ કરાવેલ જેમા રોજનુ એક ટકા મુજબનુ વળતર મળશે તેમ જણાવી ૨૦ ડોલર યુએ સડીટી થી લઇ 5000 ડોલર યુએસડીટી વાળી અલગ અલગ સ્કીમમા રોકાણ કરાવી બ્લોક ઓશ કંપનીની ડીઈએફઆઇએઆઈ. આઈઓ ના નામથી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ, બ્લોકઔરા. કોમ વેબસાઇડ મા આઇડીઓ જનરેટ કરી ડબ લ્યુડબલ્યુડબલ્યુ.કોઇનમાર્કેટકેપ. કોમ ના એક્સચેન્જ ઉપર કોઇન આવી ગયેલ હોવાનુ જણાવી વધુને વધુ રોકાણ કરાવી જે એક્સચેન્જ ઉપર કોઈન હોવાનુ જણાવેલ તેવુ કોઈ એક્સચેન્જ બ્લોક ઓરા કોઈન ન હોઈ ખોટી રીતે એક્સચેન્જ ઉપ૨ આવી ગયેલ હોવાનુ જણાવી રોકાણ કરાવી ૧૩ જેટલી આઇડીઓ જનરેટ કરાવી કુલ રૂપીયા ૫૧,૦૦,૦૦૦/- મેળવી લઇ બ્લોક ઓરા કંપની ની ડીઈએફઆઈએઆઇ. આઇઓના નામથી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ.બ્લોકઔરા. કોમ વેબસાઇડ બંધ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત. આરોપી –

    જાવીદ પીરૂભાઈ મુલ્તાની તર્ફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓની મુખ્ય રજુઆત એ હતી કે,
    – આરોપી નિર્દોષ છે. હાલના ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી નાઓએ હાલના આરોપીને તદ્દન ખોટી રીતે હાલના ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.
    – આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ પરથી જણાય આવતી નથી.
    – હાલના આરોપીએ યુએસડીટી મા રોકાણ કરવા માટે લોભામણી અને લાલચામણી લાલચ આપેલ હોય તેવું તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
    – હાલના આરોપીએ ફરીયાદીને રોકાણકારોને તેઓના રોકાણ ઉપર દરરોજ એક ટકા મુજબનું વળતર ચુકવવાનું જણાવી તે અંગે રોકાણકારોને વિશ્વાસ અને ભરોસો આપવા સારૂ આરોપીએ પોતાની બ્લેક ઓરા નામથી કંપની બનાવી અને તે કંપનીમા “બ્લેક ઓરા” કોઈનમાં રોકાણ કરવા માટે કોઈ લોભામણી લલચામણી લાલચ આપેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
    – હાલના આરોપીએ ફરીયાદી તેમજ અન્ય સાહેદો સાથે ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના બદઈરાદેથી તેઓની કંપનીમાં “બ્લેક ઓરા” કોઈનમાં રોકાણ કરાવવાનુ જણાવી તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
    – હાલના ગુન્હાની તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ રજુ થઈ ગયેલ છે અને હાલના આરોપી પુરતી કોઈ તપાસ બાકી રહેલ નથી.
    > હાલના આરોપી હાલના ગુન્હાના અન્ય મુખ્ય આરોપીઓને ત્યાં પગારદાર તરીકે નોકરી કરતા આવેલ હતા.
    નામદાર નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ બંને પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓને તા.૨૭/૦૧/૨૦૨૫ ના રોજ કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કરેલ છે.
    આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓ તરફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓએ રજુઆતો કરેલ અને જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.

    Post Views: 631
    @ADV @COAIN
    Previous Articleભરીમાતા રોડ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
    Next Article ડોક્ટરનું અપહરણ કરી ૬ કરોડની ખંડણી માંગી! ૩૦૦ રૂપિયા આપી છોડી દીધો

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.