Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત પોલીસની દાદાગીરી : દુકાનદાર સાથે પોલીસનું ગેરવર્તન સીસીટીવીમાં કેદ!

    સુરત પોલીસની દાદાગીરી : દુકાનદાર સાથે પોલીસનું ગેરવર્તન સીસીટીવીમાં કેદ!

    City Today DailyBy City Today DailyDecember 20, 2025

    સુરત,તા.૨૦
    સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે પોલીસ કાફલો દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો, તે દરમિયાન એક દુકાનદાર સાથે પોલીસે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દુકાનદાર સાથે સામાન્ય રકઝક કરવાને બદલે પાવર બતાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. દુકાનદારે આક્ષેપ કર્યો છે કે તે નિયમ મુજબ જ કામ કરી રહ્યો હતો, છતાં પોલીસે કારણ વગર તેની સાથે દુર્વ્યવહાર કર્યો. હાલ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
    રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા થયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ કર્મચારીઓનું આવું વર્તન સામાન્ય જનતામાં ભય અને અસંતોષ પેદા કરી રહ્યું છે.
    તો સુરતના કિસ્સામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબિ ખરડાઈ છે. વીડિયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જાેઈ શકાય છે, જેને પગલે હવે પોલીસબેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પીડિત રાજુ લોહાર નામના દુકાનદારે જણાવ્યું કે ૧૧:૩૦ની આસપાસ પીસીઆર આવી હતી અને પોલીસે સીધી અંદર આવીને મારામારી કરી દીધી. મેં સાહેબને કહ્યું કે સાહેબ આવી રીતે ડાયરેક્ટ મારવાની જરૂર નહોતી. એટલામાં અમને ખેંચીને લઈ ગયા. પહેલા મને ખેંચ્યો પછી લાફો માર્યો હતો. દુકાનમાં આવતા કહ્યું કે બંધ કરવાનો ઓર્ડર છે પછી મેં કહ્યું કે મને નહોતો ખ્યાલ કાલથી ૧૧ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી દઈશ. મારે મોટાભાગે પોલીસની જ ઘરાકી છે, હવે ખબર નહીં તેમણે તે સમયે શું પ્રેશર હશે એ કંઇ ખબર નથી. આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ કયા સંજાેગોમાં બન્યો અને તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જાે તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે, તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.

    Post Views: 384
    સુરત પોલીસની દાદાગીરી : દુકાનદાર સાથે પોલીસનું ગેરવર્તન સીસીટીવીમાં કેદ!
    Previous Articleસુરતમાં SIR કામગીરી કરતા બાંગ્લાદેશી રહેવાસીઓ નાસ્યા
    Next Article તાપી નદીમાં ગેરકાયદે પાળો બાંધતા વિવાદ

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.