Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં SIR કામગીરી કરતા બાંગ્લાદેશી રહેવાસીઓ નાસ્યા

    સુરતમાં SIR કામગીરી કરતા બાંગ્લાદેશી રહેવાસીઓ નાસ્યા

    City Today DailyBy City Today DailyDecember 20, 2025

    સુરત, તા.૨૦
    શહેરમાં ચાલી રહેલી ‘સર’ ની કાર્યવાહી બાદ ઉન વિસ્તારમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. ઉન વિસ્તારની બંગાળી બસ્તીમાં લોકો અચાનક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ‘સર’ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, ઉન વિસ્તારમાં કુલ ૯૫૦ રજિસ્ટર્ડ મતદારોમાંથી માત્ર ૪૦૦ મતદારો હાજર હતા, જ્યારે બાકીના લોકો દસ્તાવેજાેની અછતને કારણે ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
    ‘સર’ ની ટીમો પહોંચતા જ બંગાળી બસ્તીમાં અનેક મકાનો પર તાળા લાગેલા જાેવા મળ્યા. સ્થાનિકો મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં અહીંથી લોકો અચાનક સ્થળાંતર કરી ગયા છે. તપાસ દરમિયાન ઘણા ઘરો ખાલી હોવા સાથે રહેવાસીઓના ઓળખપત્રો અને મતદાર દસ્તાવેજાે ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
    આ સમગ્ર મામલામાં ‘બીએલઓ’ ની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. કેવી રીતે મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાં દાખલ થયા અને હવે દસ્તાવેજ વગર ગાયબ થઈ ગયા તે અંગે તપાસની માંગ ઊઠી રહી છે. ‘સર’ ની પ્રક્રિયામાં આ એક મોટો ઘટસ્ફોટ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.ઉન વિસ્તારના ભાજપના સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે,“ભાગી ગયેલા લોકો બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની ઘુસપેટિયા હોઈ શકે છે. અગાઉની સરકારો દરમિયાન તેમને ખોટી રીતે ભારતીય મતદાર બનાવવામાં આવ્યા હતા.” મરાઠેનો વધુ આરોપ છે કે,“કોંગ્રેસના ખોળામાં બાંગ્લાદેશીઓ બેઠા હતા. વર્ષ ૨૦૦૨ દરમિયાન થયેલી ‘સર’ ની કામગીરીમાં કોંગ્રેસે બાંગ્લાદેશીઓને ભારતના મતદાર બનાવ્યા હતા.”
    આ મુદ્દે શહેરની રાજનીતિ ગરમાઈ છે. એક તરફ ભાજપ દ્વારા ગેરકાયદે ઘુસણખોરી અને ખોટી મતદાર નોંધણીના આરોપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ પક્ષ તરફથી આ આરોપોને રાજકીય સ્ટંટ ગણાવીને જવાબ આપવાની તૈયારી થઈ રહી છે. વોક થ્રુ અને દ્રશ્યો મીડિયા દ્વારા કરાયેલા વોક થ્રુમાં બંગાળી બસ્તીના ખાલી પડેલા મકાનો, તાળા લાગેલા ઘરો અને સુનસાન ગલીઓના દ્રશ્યો સામે આવ્યા છે, જે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે. આગળ શું? પ્રશાસન તરફથી હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ ‘સર’ ની કાર્યવાહી આગળ વધતા મતદાર યાદીની શુદ્ધતા, ઘુસણખોરી, અને દસ્તાવેજાેની ચકાસણી જેવા મુદ્દાઓ પર કડક પગલાં લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં ‘સર’ ની કામગીરીથી શરૂ થયેલો આ મામલો હવે માત્ર સ્થાનિક નહીં, પરંતુ રાજ્યસ્તરની ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે.

    Post Views: 288
    સુરતમાં SIR કામગીરી કરતા બાંગ્લાદેશી રહેવાસીઓ નાસ્યા
    Previous ArticleNEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન..!! ૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો૧૦૦ કરોડનો દંડ
    Next Article સુરત પોલીસની દાદાગીરી : દુકાનદાર સાથે પોલીસનું ગેરવર્તન સીસીટીવીમાં કેદ!

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.