Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ધાર્મિક સંસ્થાઓ, સિવીલ સોસાયટીના લોકો સહિતના અન્ય તમામ મુસ્લિમ સંસ્થાઓને જુમ્માના ખુત્બામાં SIR પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નં. ૭ અંગે મુસ્લિમ સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ : ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ,ગ્યાસુદ્દીન શેખ જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય

    ધાર્મિક સંસ્થાઓ, સિવીલ સોસાયટીના લોકો સહિતના અન્ય તમામ મુસ્લિમ સંસ્થાઓને જુમ્માના ખુત્બામાં SIR પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નં. ૭ અંગે મુસ્લિમ સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ : ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ,ગ્યાસુદ્દીન શેખ જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય

    City Today DailyBy City Today DailyJanuary 24, 2026

    સિટી ટુડે, અમદાવાદ :21

    સમગ્ર ગુજરાતના ૧૪ લાખ મુસ્લિમ સમાજના ડ્રાફટ મતદારયાદીમાં સામેલ મતદારો સામે ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરી સંવૈધાનિક અધિકાર અને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરનારા કાવતરાખોરો સામે FIR દાખલ કરાવવા નમ્ર અપીલ

    ગુજરાતના કોગ્રેસ તેમજ તમામ સેક્યુલર પાર્ટીઓને સમર્થન કરનારા તમામ લોકો તેમજ વિશેષ કરીને મુસ્લિમ સમાજના ૧૪ લાખ મતોને SIR પ્રક્રિયા અંતર્ગત ડીલીટ કરવાનું – રદ કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની કહેરવાદી ભગની સંસ્થાઓએ શરુ કરેલ છે તેની વિરુદ્ધ હું ગ્યાસુદ્દીન શેખ, મારા સાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પ્રદેશ આગેવાનશ્રીઓ જુનેદ શેખ અને મુબીન કાદરી જયારથી SIR પ્રક્રિયા શરુ થઈ છે ત્યારથી આજ દિન સુધી મુસ્લિમ સમાજમાં તેના વિશે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.

    અમો આજે સંયુક્તરૂપે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને અપીલ કરીએ છીએ કે તમારી વિરુદ્ધ અન્ય કોઈપણ વ્યક્તિએ ફોર્મ નં. ૭ ભરીને ખોટી રીતે અરજી કરેલ છે. BLO તમારી પાસે તે અરજી લઈને આવે છે તો તુરંત જ તમો તેનો ફોટો પાડી લેશો અને તમારી વિરુદ્ધ ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનાર સામે FIR દાખલ કરાવવાની રહેશે.

    આ સાથે જમિયતે ઉલમાએ હિન્દ, જમાતે ઈસ્લામી, ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ કે દાવતે ઈસ્લામી સહિતની અન્ય તમામ મુસ્લિમ સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ, મુસ્લિમ એડવોકેટ, નિવૃત્ત સરકારી અધિકારી આ તમામની જવાબદારી છે કે સમગ્ર ગુજરાતમાંથી ૧૪ લાખ કરતાં વધુ મુસ્લિમ લોકોના નામને રદ કરવાનું જે હિન કૃત્ય ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે તે ધીમે ધીમ NRC તરફ લઈ જવાની દિશા છે.

    તમામ લોકો રાજકીય પાર્ટીઓને દરકિનાર કરે, આ બાબત રાજકીય નથી પરંતુ આ આપણું અને આપણા બાળકોના ભવિષ્યનો સવાલ છે. આપણે થાકવાનું કે પરેશાન થવાની જરુર નથી. જો BLO તમને ચાર વખત બોલાવે છે તો આપણે તમારા પુરાવા BLO સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ.

    ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનારને ૧ વર્ષની કેદની સજા અથવા રૂા. ૧ લાખનો દંડ તેમજ બંને સજા થઈ શકે છે. કારણકે ભાજપાની કટ્ટરવાદી ભગીની સંસ્થાઓએ સેન્ટ્રલમાં કમલમમાં બેસીને જ ફોર્મ નં. ૭ ભર્યા છે.

    અમારી સમગ્ર ગુજરાતના ઉલમાએ-ઈકરામ અને પેશ ઈમામોને પણ આજીજાના ગુજારીશ છે કે આવનાર જુમ્માના ખુત્બામાં પણ આ વાત મૂકવામાં આવે તેમજ સમગ્ર ગુજરાતની મસ્જીદોમાંથી પણ આ અંગે અવેરનેસ – જાગૃતિ ફેલાવવામાં આવે.

    અન્ય સામાજિક સંસ્થાઓ કે જે શાળા, કોલેજ અને હોસ્પિટલનું સંચાલન કરી રહી છે તે તમામ સિવીલ સોસાયટીના સભ્યો અને સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી સમજી આ અંગે લોકોને જાગૃત કરે એવી હું ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, પ્રદેશ આગેવાનશ્રીઓ જુનેદ શેખ અને મુબીન કાદરી અમો હાથ જોડીને હાર્દિક અને નમ્ર અપીલ કરીએ છીએ.

    ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા (ગુજરાત)

    ગ્યાસુદ્દીન શેખ
    જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય, ગુજરાત

    Post Views: 207
    @congres @modi @congress @imranpratapgarhi @waqfbill @asaduddin owaisi @MaulanaArshadMadani @ikrahasan @akhileshyadav @kiranrijiju @fixumeedportal
    Previous Articleબિલ્ડરની સરાજાહેર હત્યા: ત્રણ-ચાર શખસોએ મોતને ઘાટ ઊતાર્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
    Next Article ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોને નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવા પર તુરંત રોક લગાવવામાં આવે : ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ,ગ્યાસુદ્દીન શેખ જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય

    Related Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    June 22, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    June 20, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.