કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થઇ ગયા હતા જયપુર, તા.૨૬ રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હિંસક બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જાેકે ભારે જહેમત બાદ થોડા જ કલાકોમાં સ્થિતિ થાળે પડી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજથી જ મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ…
Author: City Today Daily
કંપનીના CEO સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી ઉદયપુર, તા.૨૬ રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી આઈટી કંપનીમાં ઉચ્ચ પદો પર કાર્યરત લોકોએ માનવતા અને કાયદાની મર્યાદા ઓળંગી હોવાનો સનસનાટીભર્યા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલા મેનેજર સાથે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે કંપનીના CEO સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં કારના ડેશકેમમાંથી મળેલા ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સૌથી મહત્ત્વના પુરાવા સાબિત થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું કે, પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જાેતા તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં આઇટી કંપનીના…
એકલા અરવલ્લી પટ્ટામાં જ ૪,૦૦૦થી વધુ કેસ સમગ્ર રાજસ્થાનમાં છેલ્લા ૭ વર્ષમાં ગેરકાયદે ખનનની નાની-મોટી ૭૧,૩૨૨ ઘટના સામે આવી છે જયપુર, તા.૨૬ રાજસ્થાનમાં છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહના ગુના હેઠળ કુલ ૭,૧૭૩ FIR નોંધાઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે, એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લામાં જ ૪,૧૮૧ પોલીસ કેસ થયા છે. સમગ્ર રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનનની નાની-મોટી ૭૧,૩૨૨ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કેસની સાથે દંડ ભર્યો હોય એવા કિસ્સા પણ સામેલ છે. આ પ્રકારના કેસની વાત કરીએ તો અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં કુલ ૪૦,૧૭૫ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ૨૦…
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલાજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટો ફેરફાર કર્યો છે નવી દિલ્હી, તા.૨૫ ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલાજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જા કે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઇક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે. ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહ¥વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ…
લખનૌ, તા.૨૫ ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ કેસ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, તે ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ છે, જેમાં આરોપી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા. આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે. આ આદેશ બાદ, પીડિતાએ પોતાની દુર્દશા વિશે વાત કરી. તેણે આરોપ લગાવ્યો કે ઇÂન્ડયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ ૨૫૦ ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો.” દિલ્હી હાઇકોર્ટના નિર્ણય…
સિટી ટુડે, અમદાવાદ તા. ૧૯-૧૨-૨૦૨૫ને શુક્રવારના રોજ દરિયાપુર વોર્ડના કોંગ્રેસના ચારેય મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડમાં દરિયાપુર સહિત કાલુપુર, ખાડિયા અને શાહપુર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે સફળ ધારદાર રજૂઆત ના પગલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી રમ્ય ભટ્ટે તા. ૨૦-૧૨-૨૦૨૫ને શનિવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં ચારેય મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓએ મ્યુનિ. કોર્પો. બોર્ડમાં કરેલ માંગણીને દોહરાવતા પક્ષાપક્ષીથી પર રહી દરિયાપુર સહિત કાલુપુર, ખાડિયા અને શાહપુર મ્યુનિ. વોર્ડમાં ભેદભાવ થી મુક્ત તમામ નાગરિકોના પ્રશ્નોનું ઝડપભેર પ્રશ્નોના નિરાકરણ દ્વારા સમાંતર વિકાસ કરવા અસરકારક રીતે રજૂઆત કરી હતી. ડેપ્યુટી મ્યુનિ.…
મુંબઈ, તા.૨૪ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આવતા મહારાષ્ટના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જાવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટÙની ૨૯ મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત પહેલા પરિવારજનોએ બંને ભાઈની એકસાથે આરતી ઉતારીને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને પક્ષે બીએમસીની કુલ ૨૨૭ બેઠકની વહેંચણી પર પણ આખરી મહોર મારી દીધી છે. સંયુક્ત…
દુષ્કર્મના આરોપીને જામીન મળતાં પીડિતાની બહેનનું દર્દ છલકાયું તો અમને જેલમાં નાખી દો.. નવી દિલ્હી, તા.૨૪ ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા દિલ્હી હાઈકોર્ટે મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા છે. આ સમાચાર બહાર આવતા જ પીડિતાની બહેનનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે ભયભીત થઈને કહ્યું કે, સેંગરે પહેલા મારા મોટા પપ્પાને માર્યા, પછી મારા પિતાની હત્યા કરાવી અને મારી બહેન સાથે અત્યાચાર કર્યો. હવે તે બહાર આવશે તો મને અને મારા આખા પરિવારને મારી નાખશે. પીડિતાની બહેને રડતા રડતા પોતાની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, અમે પહેલા જ ઘણું…
૧૦૦ મીટરની નવી વ્યાખ્યાને પડકારતી અરજીને સર્વાેચ્ચ અદાલતે સ્વીકારી વિપક્ષ રાજસ્થાનના ૧૯ જિલ્લામાં અરવલ્લી બચાવો આંદોલન કરશે ગુડગાંવ, તા.૨૪ ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખતા મોટો વિવાદ ઊભો થયો હતો. આનાથી બેફામ ખાણકામ ચાલુ થવાની અને પર્યાવરણને…
મુંબઈ, તા.૨૨ મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં, નાંદેડ જિલ્લાની લોહા નગરપાલિકામાં પક્ષને કારમો પરાજય સહન કરવો પડ્યો છે. ભાજપે અહીં પરિવારવાદનો દાવ ખેલતાં એક જ પરિવારના છ સભ્યોને ટિકિટ આપી હતી, પરંતુ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આ તમામ છ ઉમેદવારોને હરાવીને ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ખાસ વાત એ છે કે અજિત પવાર પોતે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે અને મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, તેમ છતાં લોહામાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી. લોહા નગરપાલિકામાં મેયર પદ માટે ભાજપે પ્રભાવશાળી નેતા ગજાનન સૂર્યવંશી પર પસંદગી…
