Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં

    દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં

    City Today DailyBy City Today DailyDecember 14, 2024

    અમદાવાદ, તા. ૧૪
    રાજ્યમાં એક તરફ ખ્યાતિકાંડના લીધે જુદી-જુદી હોસ્પિટલ ઉપર તપાસ માટે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી તેમને રાહત આપતો વધુ એક આદેશ કર્યો છે. જેમાં રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં.
    આ અંગે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજાે સહન કરવો પડે છે.
    તેથી રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
    આ અંગે જાણવા મળ્યા અનુસાર રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતાં દર્દીઓને તબીબો જે દવાઓ લખી આપતા હતા તે દવાઓ તેમની જ હોસ્પિટલમાં અથવા તેની બહાર આવેલા નિશ્ચિત મેડીકલમાંથી લેવાનું ફરજિયાત કરતા હતા. તેવી અનેક ફરિયાદો ઉઠ્‌યા બાદ આખરે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

    Post Views: 388
    @dr
    Previous Articleઅઠવાડિયામાં ૩ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો
    Next Article બલેશ્વરમાં અસલમ સાયકલવાલાની દરગાહના પ્રવેશ મુદ્દે બબાલ :‘સિટી ટુડે’ને જણાવ્યું હતું કે, આ મામલામાં દરગાહ પાસે રસ્તા બાબતે વિવાદમાં ગયા બાદ સંરપચ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું

    Related Posts

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    April 18, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.