Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં

    દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં

    City Today DailyBy City Today DailyDecember 14, 2024

    અમદાવાદ, તા. ૧૪
    રાજ્યમાં એક તરફ ખ્યાતિકાંડના લીધે જુદી-જુદી હોસ્પિટલ ઉપર તપાસ માટે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી તેમને રાહત આપતો વધુ એક આદેશ કર્યો છે. જેમાં રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં.
    આ અંગે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજાે સહન કરવો પડે છે.
    તેથી રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
    આ અંગે જાણવા મળ્યા અનુસાર રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતાં દર્દીઓને તબીબો જે દવાઓ લખી આપતા હતા તે દવાઓ તેમની જ હોસ્પિટલમાં અથવા તેની બહાર આવેલા નિશ્ચિત મેડીકલમાંથી લેવાનું ફરજિયાત કરતા હતા. તેવી અનેક ફરિયાદો ઉઠ્‌યા બાદ આખરે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

    Post Views: 429
    @dr
    Previous Articleઅઠવાડિયામાં ૩ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો
    Next Article બલેશ્વરમાં અસલમ સાયકલવાલાની દરગાહના પ્રવેશ મુદ્દે બબાલ :‘સિટી ટુડે’ને જણાવ્યું હતું કે, આ મામલામાં દરગાહ પાસે રસ્તા બાબતે વિવાદમાં ગયા બાદ સંરપચ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.