Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નાનાબાવા પરિવારના યુવકનું પારિવારિક સંબંધીઓએ ૪૭.૭૬ લાખનું કરી નાંખ્યું

    નાનાબાવા પરિવારના યુવકનું પારિવારિક સંબંધીઓએ ૪૭.૭૬ લાખનું કરી નાંખ્યું

    City Today DailyBy City Today DailyJuly 11, 2025

    સુરત: ભાગળ પીરછડી રોડ ખાતે રહેતા નાનાબાવા પરિવારના યુવક સાથેના પારીવારીક સંબંધોનો લાભ લઇ શેખ દંપતિ સહિત ત્રણ જણાએ ધંધાકીય કામ માટે યુવકનો ક્રેડીટ કાર્ડ લઇ તેમાંથી વીજ બીલ, ગેસબીલ તેમજ મોબાઇલ બીલો ભરી જુલાઇ ૨૦૨૪થી ઓગષ્ટ ૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૪૭.૭૬ લાખ ક્રેડીટ કાર્ડમાંથી વાપરી પેનેલ્ટી સહિત કુલ રૂ.૫૩.૭૬ લાખ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
    મહીધરપુરા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ભાગળ પીરછડી રોડ અય્યુબ મંઝીલમાં રહેતા અસ્ફાક અનવર નાનાબાવા ઉ.વ.૪૩ વેપારી છે. દરમિયાન તેના પારીવારિક સંબંધી યાહ્યા યુસુફ શેખ, યુસુફ શેખ અને યાહ્યાની પત્ની સાયમા શેખ (રહે. પનાવાળા એપાર્ટમેન્ટ, મોટી મસ્જીદની પાછળ) એ જુલાઇ ૨૦૨૪ થી મોબાઇલના વેપાર ધંધા માટે અસ્ફાક નાનાબાવા પાસે રૂપીયાની માંગણી કરી હતી. જાકે અસ્ફાક નાનાબાવાએ રૂપીયા આપવાની ના પાડતા તેમનો ક્રેડીટ કાર્ટ ઉપયોગમાં લેવાનું જણાવી પિતા યુસુફ શેખ તથા પુત્ર યાહ્યા અને પુત્રવધુ સાયમાએ રૂપીયા પરત કરી દેવાની જવાબદારી સ્વીકારી વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ આ ત્રણેય જણાએ અસ્ફાક નાનાબાવાના ક્રેડીટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી લઇ કાર્ડમાંથી મોબાઇલ ફોન, ગેસબીલ, લાઇટ બીલ તેમજ વેરાબીલ ભર્યા હતા. કુલ રૂ.૪૭.૭૬ લાખ ક્રેડીટ કાર્ટમાંથી વાપરી ઉપાડી લઇ પેનલ્ટી મળી ૫૬ લાખ રૂપીયા અસ્ફાક નાનાબાવાને ચુકવ્યા ન હતા. આ મામલે ગઇકાલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

    Post Views: 1,000
    નાનાબાવા પરિવારના યુવકનું પારિવારિક સંબંધીઓએ ૪૭.૭૬ લાખનું કરી નાંખ્યું
    Previous Articleગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માટે મનોમંથનમાં મુસ્લિમ નેતાઓની અવગણના! ગુજરાતમાં મરણ પથારીએ કોંગ્રેસે ફરી મુસ્લિમોને સાઇડ ટ્રેક કરતા મુસ્લિમ આગેવાનોમાં રોષ ઉઠ્યો
    Next Article જનરેટરના ધુમાડાથી ગુંગળામણમાં ત્રણના મોત

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.