સુરત, તા.૨૭ સુરતમાં વધુ એક માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકી પર તેના પાડોશમાં જ રહેતા એક શખસે દુકર્મ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે આરોપી ફરાર હોઈ, પોલીસે તેની શોધખોળ કરી રહી છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકીને તેના પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી છે. ૬ વર્ષીય બાળકીનાં માતા-પિતા કામ અર્થે બહાર ગયાં હતાં ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોઈ, ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો…
Author: City Today Daily
સુરત, તા.૨૭ સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારી અને ગેરવહીવટનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક વાલીએ આરટીઇ (શિક્ષણનો અધિકાર અધિનિયમ) હેઠળ પોતાનાં બાળક માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું, જેમાં દેલાડવા ગામે આવેલી સાઉથ ઇન્ડિયન મોર્ડન સ્કૂલ પસંદ કરાઈ હતી, પરંતુ આ સ્કૂલ તો ઘણા સમયથી બંધ હતી અને સામે તો બેંક દ્વારા પણ રિકવરી કાઢવામાં આવી હતી. બીજી બાજુ વિદ્યાર્થીને આરટીઇ મુજબ આ જ સ્કૂલમાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યા છે. જેની વિગત બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. દેલાડવા ગામે આવેલી આ ખાનગી સ્કૂલે સમયસર લોનની ચૂકવણી ન કરતા બેંકે ૧.૬૬…
(સિટી ટુડે) સુરત,તા.૨૬ કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરત ઉમરા સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નંબર : ૧૧૨૧૦૦૪૮૨૫૦૨૬૩/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ (મ્દ્ગજી) ની કલમ – ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૪૦(૩), ૩૫૧(૨), ૧૧૫(૨), ૩૫૨ તથા ૧૧૨(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ. ફરીયાદની વિગત ધ્યાને લેવામાં આવે તો તે રીતની છે કે, તા.૧૯/૦૫/૨૦૧૫ ના રોજ આ કામના ફરીયાદીશ્રી – રોહિત રાઠોડ તથા તેમના મિત્રો તેઓના કેસની મુદ્દત તારીખે સુરત સેશન્સ કોર્ટમા હાજરી પુરાવવા માટે આવેલા અને હાજરી પુરાવી કોર્ટ કેમ્પસની બહાર નિકળતા કોર્ટની પાર્કીંગમાં જ આરોપીઓ નામે- રાકેશ ઉર્ફે બાલા મોહિતે, પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ભરત ઉર્ફે…
(સિટી ટુડે) સુરત,તા.૨૬ આગામી તા: ૦૬/૦૬/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં આખા ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નો તહેવાર ઉજવવામાં આવનાર છે. બકરી ઈદમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા તેમની આસ્થા મુજબ કાયદા દ્વારા પ્રતિબંધિત પશુઓ સિવાયના પશુઓ જેવા કે બકરા, ઘંટા, પાડા અને અન્ય જાનવરોની પરંપરાગત રીતે કુરબાની કરવામાં આવે છે. બકરી ઈદ દરમિયાન મુસ્લિમ ધર્મ લોકો દ્વારા કુરબાનીના જાનવરો વિવિધ સ્થળો અને વિસ્તારોમાંથી ખરીદી કરવામાં આવે છે અને તે પશુઓને તેમના ગામ-ઘર સુધી વાહનો થકી લઈ જવામાં આવે છે. એટલે કે બકરી ઈદ દરમિયાન કુરબાનીના જાનવરોની હેરફેર મોટા વાહનો જેવા કે છોટા હાંથી, ટેમ્પો,…
રિયાદ, તા.૨૬ દુનિયામાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે તે ઘણા નાના દેશોના ય્ડ્ઢઁ જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજાે રૂપિયાની કમાણી થાય છે. જાેકે, કેટલાક દેશો એવા છે જ્યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આવું કરવા બદલ કડક સજાની પણ જાેગવાઈ છે. મોટાભાગના ઇસ્લામિક દેશોમાં આવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો ર્નિણય લીધો છે. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે કયા મુસ્લિમ દેશોમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, સાઉદી અરેબિયાએ લગભગ ૭૩ વર્ષ પછી…
સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનના આહવાનને શિસ્તબદ્ધતા સાથે સફળ બનાવવા સમાજ આગળ આવે : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા , પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (સિટી ટુડે) અમદાવાદ, તા.૧૯ મહાન ભારત દેશના સંવિધાને તમામ ધર્મ, જાતિઓને પોતાના ધાર્મિક સિદ્ધાંતોને આસ્થા પ્રમાણે ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર આપ્યો છે. ૨૦૧૪થી કેન્દ્રમાં ભાજપાનું શાસન આવતા આઝાદી પછીના ૭૫ વર્ષોમાં મુસ્લિમ સમાજ માટે સૌથી કપરો કાળ શરૂ થયો. ભાજપના સંવિધાનથી વિપરીત ફાસીવાદી કોમવાદી વલણને કારણે ભારતીય મુસ્લિમોને નિશાના પર લઈ જુલ્મ અને અત્યાચારની પરાકાષ્ટા સાથે શરૂ થયો જે આજે પણ યથાવત છે.…
સુરત, તા.૧૮ સુરતના કામરેજમાં ગલતેશ્વર ખાતે તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેના પુત્રએ કૂદીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા અને પુત્રના મૃતદેહને સુરતના કતારગામ સ્થિત મૃતકના મોટા ભાઈના ઘરે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારનાં ત્રણનાં મોતના પગલે પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો. એકસાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતાં જ પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ ગયો હતો. હૈયાફાટ રુદનને કારણે હાજર સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંતિમક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સામૂહિક આપઘાત કરનાર પ્રજાપતિ પરિવારના ત્રણ મૃતકો માતા-પિતા અને પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરિવારના આક્રદથી સમગ્ર…
ગુજરાતના ૭૦ લાખ મુસ્લિમો વતી ડો. ઉદિત રાજનું અમદાવાદ ખાતે સન્માન કરાશે (સિટી ટુડે) અમદાવાદ, તા.૧૮ ૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં કોગ્રેસ પક્ષના પૂર્વ સાસંદ, રાષ્ટ્રીય પ્રવકતા, દલિત સમાજના ટોચના રાષ્ટ્રીય નેતા જે હાલમાં (દલિત, ઓબીસી, માઈનોરીટી, આદિવાસી)ના DOMA રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદિતરાજજી દ્વારા આયોજિત સંમેલનમાં ૧ લાખ બહુજન સમાજની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની અધ્યક્ષસ્થાને સૌપ્રથમ વાર સંવિધાન બચાવો – વકફ બચાવો – ઈવીએમ હઠાવો – જાતિજનગણના કરાવી અનામતની મર્યાદા ૫૦ ટકા થી વધારી જનસંખ્યા મુજબ કરો – ના નારા સાથે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડો. ઉદિત રાજે પોતાના ઉદબોધનમાં…
હમાસ, તાા.૧૮ ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે. હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈતરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિતન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાતકાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા. હાયાએ કહ્યું કે ઈતરાયલના વડાપ્રધાન…
સુરત : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે ઝડપથી કેસ ચલાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈ પુલ પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં…
