Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત

    આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત

    City Today DailyBy City Today DailyApril 18, 2025

    સુરત, તા.૧૮
    સુરતના કામરેજમાં ગલતેશ્વર ખાતે તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેના પુત્રએ કૂદીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા અને પુત્રના મૃતદેહને સુરતના કતારગામ સ્થિત મૃતકના મોટા ભાઈના ઘરે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારનાં ત્રણનાં મોતના પગલે પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો.
    એકસાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતાં જ પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ ગયો હતો. હૈયાફાટ રુદનને કારણે હાજર સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંતિમક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સામૂહિક આપઘાત કરનાર પ્રજાપતિ પરિવારના ત્રણ મૃતકો માતા-પિતા અને પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરિવારના આક્રદથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. ત્રણેયની અંતિમયાત્રા નીકળતાં જ મૃતકનાં માતા અને ભાભી આઘાતમાં બેભાન થઈ ગયાં હતાં. જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે ત્રણેયની અંતિમવિધિ કરવામાં આવી હતી.
    સુરત જિલ્લાના કામરેજમાં એક સ્થાનિક નાગરિકે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી કે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાણીમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો છે. કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં પહેલાં ગત રાત્રે મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષ (પિતા-પુત્ર)ના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા હતા.
    કામરેજ પોલીસ મથકના પી.આઈ. એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ મૂળ સૌરાષ્ટના ભાવનગર જિલ્લાના અને હાલ સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ધંધામાં આવેલી મંદી તેમજ શેરબજારમાં કરેલા રોકાણમાં ખોટ જતાં આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. પત્ની સરિતાબેન પ્રજાપતિને પણ માનસિક બીમારી હતી, જેથી આ સમસ્યાઓથી કંટાળી તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. પરિવારની બાજુમાં રહેતા પાડોશીઓને બાગ-બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતાં મોડું થશે એવું કહી ઘરેથી નીકળી ગયાં હતાં.
    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનાં નામ વિપુલ રવજી પ્રજાપતિ (પતિ), સરિતાબેન પ્રજાપતિ (પત્ની) અને વ્રજ પ્રજાપતિ (સંતાન) છે. તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો છે. ઘરના મોભી મૃતક વિપુલભાઈ હીરા કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે લોન લઈને શેરબજારમાં રોકાણ પણ કર્યું હતું. ત્યારે ધંધામાં આવેલી મંદી અને શેરબજારમાં ગયેલી ખોટ સહન ન કરી શકતાં તેમણે પરિવાર સહિત તાપી નદીમાં કૂદી સામૂહિક આપઘાત કર્યો હતો.
    મૃતકના મોટા ભાઈ ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તાપી નદીમાંથી પહેલા મારા ભાઇનાં પત્નીનો મૃતદેહ મળ્યો હતો. વધુ તપાસ કરતાં બ્રિજ પરથી બાઇક અને ચંપલ મળ્યાં હતાં, જ્યારે આજે મારા ભાઇ અને તેમના દીકરાનો મૃતદેહ મળ્યા હતા.

    Post Views: 626
    આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત
    Previous Articleગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં સફળ સંઘર્ષ માટે રાષ્ટ્રીય દલિત નેતા, DOMA પરિસંઘના અધ્યક્ષ ડો. ઉદિત રાજનો ખૂબ ખૂબ આભાર : ગ્યાસુદ્દીન શેખ
    Next Article લોકશાહીમાં શાંતિપૂર્ણ જનઆંદોલન દ્વારા જ સરકાર અને વિરોધ પક્ષો પર દબાણ ઉભું કરી અન્યાય, અત્યાચાર, ભેદભાવથી મુક્તિ તેમજ સંવૈધાનિક અધિકાર – સમાંતર ન્યાય પ્રાપ્ત થાય છે

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.