Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત

    આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત

    City Today DailyBy City Today DailyApril 18, 2025

    સુરત, તા.૧૮
    સુરતના કામરેજમાં ગલતેશ્વર ખાતે તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેના પુત્રએ કૂદીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા અને પુત્રના મૃતદેહને સુરતના કતારગામ સ્થિત મૃતકના મોટા ભાઈના ઘરે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારનાં ત્રણનાં મોતના પગલે પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો.
    એકસાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતાં જ પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ ગયો હતો. હૈયાફાટ રુદનને કારણે હાજર સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંતિમક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સામૂહિક આપઘાત કરનાર પ્રજાપતિ પરિવારના ત્રણ મૃતકો માતા-પિતા અને પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરિવારના આક્રદથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. ત્રણેયની અંતિમયાત્રા નીકળતાં જ મૃતકનાં માતા અને ભાભી આઘાતમાં બેભાન થઈ ગયાં હતાં. જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે ત્રણેયની અંતિમવિધિ કરવામાં આવી હતી.
    સુરત જિલ્લાના કામરેજમાં એક સ્થાનિક નાગરિકે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી કે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાણીમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો છે. કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં પહેલાં ગત રાત્રે મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષ (પિતા-પુત્ર)ના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા હતા.
    કામરેજ પોલીસ મથકના પી.આઈ. એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ મૂળ સૌરાષ્ટના ભાવનગર જિલ્લાના અને હાલ સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ધંધામાં આવેલી મંદી તેમજ શેરબજારમાં કરેલા રોકાણમાં ખોટ જતાં આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. પત્ની સરિતાબેન પ્રજાપતિને પણ માનસિક બીમારી હતી, જેથી આ સમસ્યાઓથી કંટાળી તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. પરિવારની બાજુમાં રહેતા પાડોશીઓને બાગ-બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતાં મોડું થશે એવું કહી ઘરેથી નીકળી ગયાં હતાં.
    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનાં નામ વિપુલ રવજી પ્રજાપતિ (પતિ), સરિતાબેન પ્રજાપતિ (પત્ની) અને વ્રજ પ્રજાપતિ (સંતાન) છે. તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો છે. ઘરના મોભી મૃતક વિપુલભાઈ હીરા કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે લોન લઈને શેરબજારમાં રોકાણ પણ કર્યું હતું. ત્યારે ધંધામાં આવેલી મંદી અને શેરબજારમાં ગયેલી ખોટ સહન ન કરી શકતાં તેમણે પરિવાર સહિત તાપી નદીમાં કૂદી સામૂહિક આપઘાત કર્યો હતો.
    મૃતકના મોટા ભાઈ ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તાપી નદીમાંથી પહેલા મારા ભાઇનાં પત્નીનો મૃતદેહ મળ્યો હતો. વધુ તપાસ કરતાં બ્રિજ પરથી બાઇક અને ચંપલ મળ્યાં હતાં, જ્યારે આજે મારા ભાઇ અને તેમના દીકરાનો મૃતદેહ મળ્યા હતા.

    Post Views: 599
    આર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત
    Previous Articleગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં સફળ સંઘર્ષ માટે રાષ્ટ્રીય દલિત નેતા, DOMA પરિસંઘના અધ્યક્ષ ડો. ઉદિત રાજનો ખૂબ ખૂબ આભાર : ગ્યાસુદ્દીન શેખ
    Next Article લોકશાહીમાં શાંતિપૂર્ણ જનઆંદોલન દ્વારા જ સરકાર અને વિરોધ પક્ષો પર દબાણ ઉભું કરી અન્યાય, અત્યાચાર, ભેદભાવથી મુક્તિ તેમજ સંવૈધાનિક અધિકાર – સમાંતર ન્યાય પ્રાપ્ત થાય છે

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.