સુરત : સાયબર ઠગાઈના કેસોમાં સતત વધાર થતો જાય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે. જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને 20થી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 13 અલગ અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને 2 કરોડ 75 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન માત્ર 45 દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. દરેક ખાતા માટે 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યુ હતું કે, આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ…
Author: City Today Daily
કોગ્રેસ પક્ષના સીનીયર એડવોકેટ અભિષેક મનુસીંઘવી તથા ગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ યાચિકાકર્તા સાંસદશ્રીઓને અભિનંદન રાહુલજી સમક્ષ ૧૫ એપ્રિલના રોજ એનેક્ષી, અમદાવાદ ખાતે શ્રી શક્તિસિંહ ગોહિલજીની મધ્યસ્થતાથી વર્શીપ એક્ટ અને ભડકાઉ ભાષણ-મોબલીચીગની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ અને એડવોકેટ અભિષેક મનુસીંઘવી તથા સલમાન ખુરશીદ ઉપસ્થિત રહ્યા હોવાનો મારા દ્વારા પ્રસંશનીય ઉલ્લેખ કરવામાં આવ્યો કોંગ્રેસ પક્ષના સંસદસભ્યશ્રીઓ મોહંમદ જાવેદ, ઈમરાન પ્રતાપગઢી, ઈમરાન મસુદ અને નાસિર હુસૈન સહિત અન્ય યાચિકાકર્તાઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી તેમાં ૧૬ અને ૧૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થતા કોંગ્રેસ પક્ષના સાસંદો વતી નામદાર સુપ્રિમ કોર્ટમાં કોગ્રેસના રાજ્યસભાના સાંસદ અને સીનીયર…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલની મધ્યસ્થતાથી શિયાળુ સત્ર સમયે શ્રી ગ્યાસુદ્દીન શેખ દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ સંસદ અને સુપ્રિમ કોર્ટની કાનૂની લડાઈમાં મદદરુપ થવા સફળ રજૂઆત મુસ્લિમ સમાજને તૃષ્ટિકરણ કે વિશેષ દરજ્જો નહીં માત્રને માત્ર સંવૈધાનિક અધિકાર અને ભેદભાવમુક્ત સમાન ન્યાયની ઝંખના કોગ્રેસના અધિવેશન અને સીડબલ્યુસી ની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગજીનો દેશની ૧૪૦ કરોડ જનતામાં સમાવિષ્ટ મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારો – ન્યાય બાબતે આહવાન કરવા બદલ આભાર સંવિધાનના અધિકારોની રક્ષા માટે વકફ બિલના વિરોધમાં મતદાન કરવા બાબતે કોગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના બહુમતી સમાજના સાંસદોનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો નફરત છોડો – ભારત જોડો – યાત્રા આરએસએસ, ભાજપ અને…
સિટી ટુડે અમદાવાદ:૧૭ તા. ૧૭ માર્ચ ૨૦૨૫ ને સોમવારના રોજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે યુસીસીના અધ્યક્ષ સુશ્રી રંજનાબેન દેસાઈને પત્ર લખી સમાન સિવિલ કોડ બાબતે યુસીસી કમીટીએ ગુજરાતની જનતા પાસે માંગેલ અભિપ્રાય બાબતે રમઝાન માસને કારણે મુદતમાં એક માસનો વધારો કરી આપવા સારુ માંગણી કરી હતી. બંને ધારાસભ્યો પત્રમાં રજૂઆત કરી હતી કે આપશ્રીની અધ્યક્ષતામાં યુસીસી કમિટી દ્વારા ગુજરાત રાજ્યની જનતા પાસેથી અપેક્ષિત સમાન સિવીલ કોડ બનાવવા બાબતે અભિપ્રાય -સૂચનો -મંતવ્યો માંગવા માટે તા. ૨૪ માર્ચ ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવેલ છે. જેમાં આપે સૂચવેલ ત્રણ પ્રકારે પોતાના સૂચનો મોકલવાના છે. અમારી આપશ્રીને નમ્ર અરજ અને…
સિટી ટુડે: અમદાવાદ યુસીસી અને મુસ્લિમો પર તેની પ્રચંડ અસર અને પ્રભાવ. ભારતીય બંધારણ હેઠળ, યુનિફોર્મ સિવિલ કોડ (સંક્ષિપ્તમાં યુસીસી) નો અર્થ એક “સિવિલ કોડ- છે જે ધર્મોમાં સમાનરૂપે લાગુ પડે છે. મુખ્યત્વે વગ્ન, છૂટાછેડા અને વારસાને લગતા બાબતોમાં જેમ કે, તમામ નાગરિક અને ફોજદારી કાયદાઓ સામાન્ય છે અને સમાનરૂપે લાગુ કરવામાં આવે છે. જો કે. વગ્ન, છૂટાછેડા અને વારસાને લગતા બાબતો ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી, બંધારણ આ કાયદાઓને વિવિધ સમુદાયોની માન્યતાઓ અને શ્રદ્ધા અનુસાર લાગુ કરવાની જોગવાઈ કરે છે. એટલે કે તેમના વ્યક્તિગત કાયદાઓ (પર્સનલ લો). આને અંતરાત્માના મૂળભૂત અધિકારની માન્યતા અને બંધારણની કલમ ૨પ હેઠળ દરેક…
ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમાન સિવિલ કોડની જરુરિયાત અને મૂલ્યાંકન કરવા માટે સમિતિનું ઘટન કરવાનું જાહેર કરેલ છે અને તેના અનુસંધાને નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ ઘડીને તેને તે કાર્ય સુપુર્ત કરેલ છે તેથી સદર સમિતિએ જાહેર અપીલ કરી રાજ્યના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સમાજીક જુથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહીત ગુજરાત સ્થિત સંસ્થાઓએ મંતવ્ય રજુઆતો અને સુચનાઓ રજુ કરવા માટે જાહેર અપીલ કરેલ છે. તેથી તે અનુસંધાને નીચે મુજબ નમ્ર રજુઆત છે. ૧. ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪ મુજબ રાજ્ય એટલે કે ભારત સરકારે ભારતના સંપૂર્ણ ક્ષેત્ર સમાન…
નવી દિલ્હી, તા.૭ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જાડા કહીને ટીકા કર્યા બાદ, તેમણે હવે ગણિતના મૂળને લઈને એક નવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શમા મોહમ્મદે દાવો કર્યો છે કે ગણિતની શોધ ઇસ્લામ દ્વારા વિશ્વમાં થઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ શમા મોહમ્મદના આ નિવેદન પર કટાક્ષ કરતાં Âટ્વટ કર્યું હતું કે, “મને લાગે છે કે તેમણે નક્કી કરી લીધું છે કે રાહુલ ગાંધી એકલા જ કોંગ્રેસમાં મૂર્ખામીભર્યા નિવેદનો નહીં આપે.” માલવિયાના આ ટોણાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા…
(સિટી ટુડે) સુરત,તા.૦૬ ૧૯૯૩માં બાબરી મસ્જિદ ધ્વંસ પછી સુરતમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન સલાબતપુરા વિસ્તારમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ૧૨ આરોપીઓ સામે કેસ દાખલ થયો, જેમાં ૩૨ વર્ષ સુધી કોર્ટમાં ચર્ચા ચાલ્યા બાદ આખરે ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા. ૧૯૯૩માં, બાબરી મસ્જિદ ધ્વંસ બાદ ગુજરાતમાં તોફાનો ભભૂકી ઉઠ્યા હતા. તે સમયમાં વડોદરાના પાનીગેટ પોલીસ મથકે ગુલામ કાદર અબ્દુલ મન્સુર સામે ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન સુરતના સલાબતપુરા અને મોમનાવાડ વિસ્તારમાં રહેતા મહંમદઅલી વખારિયા સામે આરોપ મૂકાયો કે, તેણે જીલેટિન સ્ટિક, ડેટોનેટર અને ફ્યૂઝ વાયરના સાત સેટ આપ્યા હતા. આ ઘટનાને પગલે ૧૨ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો પરંતુ,…
સુરત, તા.૦૬ ગુજરાત ભાજપે આજે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, આજે પ્રદેશમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં ભવ્ય જીત થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ ૬૬ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. પરેશ પટેલ નવા શહેર પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. પરેશ પટેલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પરેશ પટેલ ભૂતકાળમાં ચેમ્બર પ્રમુખ રહી ચૂક્યા છે. પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રહ્યા છે. પહેલાંથી જ ભાજપના સુરત શહેરના પ્રમુખ…
સુરત,તા.૬ સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ભાજપના નેતાઓમાં હોર્ડિગ્સ વોર શરુ થઈ ગયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપના નેતાઓ પોતાની લીટી મોટી કરવાના બદલે બીજાની લીટી નાની કરવામાં મંડી પડ્યા છે. લિંબાયતના નીલગીરી વિસ્તારમાં પાલિકાની મંજુરી વિના સંખ્યા બંધ હોર્ડિગ્સ ઉભા કરી દેવાયા છે. જાકે તેમાં પણ સારી જગ્યાએ હોર્ડિગ્સ લગાવવા માટે ભાજપના નેતાઓ મરણીયા બન્યા છે. તેના કારણે લિંબાયત વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પુર્વ હોદ્દેદારોના હોર્ડીંગ્સ ઉતારી કોર્પોરેટરના હો‹ડગ્સ લગાવી દેવાયા તે લોકોમાં ચચાર્નાે વિષય બન્યો છે. આવતીકાલ શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં આવી રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
