સુરત.
બહુ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, શહેર સુરતના ચોકબજાર પો.સ્ટે. માં તા.૩/૩/૨૦૨૩ ના રોજ “દિવાન ગેંગ” ના સભ્યોએ ચોકબજાર પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુના રજી.નં.૧૧૨૧૦૦૧૨૨૩૦૩૨૩/૨૦૨૩ થી ઈ.પી.કોડની કલમ–૩૦૨, ૩૦૭, ૩૮૭, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૫૨, ૫૦૪, ૧૨૦(બી) તથા જી. પી. એકટની કલમ–૧૩૫ તથા ગુજસીટોક એકટ સને.૨૦૧૫ ની કલમ–૩(૧)(૧),૩(૧)(૨),૩(૨) તથા ૩(૪) મુજબનો ગુનો નોંધાયેલ હતો અને તે ગુનાના કામે અગાઉ ગેંગ લીડર સહીત બીજા દસ આરોપીઓ એટલે કે કુલ્લે અગીયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને પાછળથી આરોપી સીકંદર ઉર્ફે બાદશાહ ઉર્ફે કાલુ કૈલાશ ગૌડ નાઓને ચોક બજાર પોલીસે તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ ધરપકડ કરેલ હતી અને રીમાન્ડ સમય પુર્ણ થયા બાદ તા.૧૦/૦૩/૨૦૨૩ થી જયુડી. કસ્ટડીમાં લાજપોર જેલ, સુરત મુકામે હતા.
ત્યારબાદ આરોપી આરોપી આરોપી સીકંદર ઉર્ફે બાદશાહ ઉર્ફે કાલુ કૈલાશ ગૌડ નાઓએ જામીન ઉપર મુકત થવા માટે એડવોકેટ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત જામીન અરજી દાખલ કરેલ હતી અને બન્ને પક્ષનાઓની વિગતવારની દલીલોને અંતે આજરોજ નામદાર સ્પેશ્યલ કોર્ટ, સુરત નાઓએ આરોપી આરોપી સીકંદર ઉર્ફે બાદશાહ ઉર્ફે કાલુ કૈલાશ ગૌડ નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.
બચાવ પક્ષના વકીલ ઝફર બેલાવાલની મુખ્ય રજુઆત એવી હતી કે, હાલના આરોપી આરોપી આરોપી સીકંદર ઉર્ફે બાદશાહ ઉર્ફે કાલુ કૈલાશ ગૌડ નાઓએ આ કેસમાં કોઈ મરણજનાર ને મરણતોલ ઈજા પહોંચાડેલ નથી અને આ કેસમાં અન્ય સહ આરોપીઓને નામદાર હાઈકોર્ટ તથા નામદાર સ્પેશ્યલ કોર્ટ સુરત નાઓએ જામીન ઉપર મુક્ત કરેલ છે તેથી સમન્યાયના સિધ્ધાંતોને પણ ધ્યાને લઈને જામીન ઉપર મુકત કરવા ધારદાર રજુઆત કરેલ હતી.
આરોપી તરફે જામીન અરજી અંગેની સફળ રજુઆતો એડવોકેટ શ્રી ઝફર કે. બેલાવાલા નાઓએ કરેલ છે.