સુરત :
બહુજ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, શહેર સુરતના એસ.ઓ.જી., સુરતનાઓને તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ બાતમી વિગત મળેલ કે, “ઉધના BRTS રોડ નહેર ઉપર આવેલ હિંગાળા સોસા. પ્લોટ નંબર : ૧૩ માં પહેલા માળે રહેતો સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નાનો અફીણનો જથ્થો મંગાવી પોતાના ઘરમાં રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમાં પણ તેને પોતાના ઘરે અફીણ રાખે છે.” તે બાતમીના આધારે એસ.ઓ.જી. સુરત નાઓએ રેડ કરી બાતમી વાળી જગ્યા ઉપરથી ઉપરોકત આરોપી સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નાઓની ઉપરોકત જગ્યાએ હાજરીમાં જડતી કરતા અલગ અલગ સ્વરૂપના અફીણના ઘટક વાળા માદક પદાર્થ જુદી જુદી કોથળીઓ માંથી મળી આવેલ અને જેનુ વજન કરતા કુલ્લે ૪.૭૯૭ કિં.ગ્રામ થયેલ અને જે એક ગ્રામના રૂા.૧,૦૦૦/- લેખે કુલ્લે રૂા.૪,૭૯,૭૦૦/- અંકે રૂપીયા ચાર લાખ ઓગણા એંસી હજાર સાતસો પુરા જેટલી કિંમતનો માલ તથા આરોપી સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નાઓ પાસેથી અફીણ વેચાણથી મેળવેલ રોકડ રકમ રૂા.૧૧,૮૦,૦૦૦/- મળી કુલ્લે રૂા.૧૬,૬૫,૨૦૦/– અંકે રૂપીયા સોળ લાખ પાંસઠ હજાર બસો પુરાના મુદામાલ સાથે ધરપકડ કરી
આરોપીને ઉધના પોલીસ સ્ટેશનમાં કબજો સોંપવામાં આવેલ. ત્યારબાદ સદર ગુન્હાની તપાસ પુર્ણ કરી ચાર્જશીટ થયા બાદ આરોપી તરફે શહેર સુરતના વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા નીરજ બિ. દેસાઈ નાઓ મારફત જામીન ઉપર મુકત થવા માટે નામદાર સેશન્સ કોર્ટમાં તથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીઓ કરવામાં આવેલ હતી. જે જામીન અરજીઓ નામંજુર થયા બાદ આરોપી તરફે જામીન ઉપર મુકત થવાને માટે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા મુકામે વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા નીરજ બિ. દેસાઈ તથા વકીલશ્રી કિશન દહિયા નાઓ મારફત જામીન ઉપર મુકત થવાને માટે જામીન અરજી દાખલ કરવામાં આવતા નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા નાઓએ આરોપી સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ કરવામાં આવેલ છે.
આરોપી તરફે શહેર સુરતમાં બચાવ અંગેની કાર્યવાહી વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા નીરજ બિ. દેસાઈ નાઓ કરી રહેલ છે.