Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સાપુતારામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, પાંચ લોકોના મોત, ૪૫ ઘાયલ થતા ૨૪ને સારવાર માટે સુરત ખસેડાયા

    સાપુતારામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, પાંચ લોકોના મોત, ૪૫ ઘાયલ થતા ૨૪ને સારવાર માટે સુરત ખસેડાયા

    City Today DailyBy City Today DailyFebruary 2, 2025

    (સિટી ટુડે) ડાંગ/આહવા, તા.૦૨
    ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા ૫ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે ૪૫ મુસાફરો ઘાયલ થતા ૨૧ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે ૨૪ મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં ૫૦ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું હતું.
    સાપુતારા પાસે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ૫૦ મુસાફરો સાથેની બસ ખાબકતા ૫ના મોત નિપજ્યા હતા. જ્યારે ૪૫ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ૨૧ને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ૨૫ને વધુ ઈજા હોય સુરત ખસેડવાની ફરજ પડી હતી. સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂ્‌છ્યા હતા. ઘટનાના પગલે સુરત કલેકટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
    પ્રાપ્ત માહિતી અનુસાર, સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યાં હતા. બસમાં ૫૦ લોકો સવાર હતા. આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શીવપુરી અને અશોકનગરના રહેવાસી છે.
    ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ સવારે ઘાટમાં એક અકસ્માતની ઘટના બની છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી ૪ બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી. જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી. ટેકનીકલ કારણસર બસ ખીણમાં ખાબકી હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના થોડાં સમય પહેલાં જ બસ ચા-નાસ્તા માટે નજીકમાં જ રોકાઇ હતી.
    ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું હતું કે, ઘાટમાં થયેલા અકસ્માતમાં એક લકઝરી બસ ખાઇમાં ખાબકી હતી, જેમાં ૫ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સાથે જ સ્થાનિક લોકોએ પણ સારો સાથ સહકાર આપ્યો હતો. આમ આ તમામ લોકોની મદદથી ઘાયલોને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
    નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલે જણાવ્યું હતું કે, વહેલીસવારે માલેગામ સાપુતારા રોડ વચ્ચે વળાંક આગળ બસ ખીણમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ તમામ પોલીસસ્ટાફ અને કલેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં બધાને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ, કમનસીબે ૫ લોકોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે આ લોકો પ્રવાસે નીકળ્યા હતા, જ્યાંથી પરત ફરતા સમયે આ ઘટના ઘટી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બચાવી લેવાયા છે. હાલ બધા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. જાે કે, ડ્રાઇવરનું મોત થયું છે.
    અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ૩૫ ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
    ૦૦૦

    Post Views: 1,008
    ૪૫ ઘાયલ થતા ૨૪ને સારવાર માટે સુરત ખસેડાયા પાંચ લોકોના મોત સાપુતારામાં ઊંડી ખીણમાં બસ ખાબકી
    Previous Articleબજેટમાં નાણાપ્રધાન ર્નિમલા સિતારમણે ગુજરાતને શું આપ્યું?
    Next Article મહાકુંભમાં આવનારા ભક્તોને તકલીફ પડતા મુસ્લમાનોએ દિલ અને મસ્જીદના દ્વાર ખોલ્યા, ભક્તો અમારા મહેમાનો : મુસ્લમાનો

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.