Author: City Today Daily

નવી દિલ્હી, તા.૨ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે. સરકાર ટેક્સમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી આવી વસ્તુઓ પર રાહત આપી શકશે. હાલમાં તેમના પર ૧૨% જીએસટી વસૂલવામાં આવે છે. સરકાર ૧૨% જીએસટી યાદીમાં મોટાભાગની વસ્તુઓને ૫% સ્લેબમાં મૂકવા અથવા ૧૨% સ્લેબને જ સમાપ્ત કરવાનું વિચારી રહી છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ શ્રેણીમાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે ર્નિણય લઈ શકાય છે. આ બેઠક આ મહિને યોજાઈ શકે છે. બેઠક માટે ૧૫ દિવસની નોટિસ આપવાની…

Read More

સુરત, તા.૦૨ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન અને ૧૦ પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત કરાયા છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં ૧૦૦૦થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી…

Read More

ગાઝા,તા.૧ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે ઈઝરાયલે ઈરાન પર હુમલા તો અટકાવી દીધા છે, પરંતુ ગાઝા પર હુમલા ચાલુ છે. ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝામાં સ્થિત કેફે, શાળા અને ભોજન વિત્તરણ સ્થળો પર હુમલો કરતાં આશરે ૯૪ લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઉભુ થયુ છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી અત્યારસુધીમાં હુમલામાં ૫૬૫૦૦ પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે.…

Read More

બેંગલુરુ ,તા.૧ આઈપીએલ ૨૦૨૫ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ માટે આરસીબીને જવાબદાર ઠેરવ્યું છે. આરસીબીએ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી હતી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર, આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર ૧૨ કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ…

Read More

સુરત, તા.૦૧ સુરત પોલીસનું સત્તાવાર એક્સ એકાઉન્ટ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ એક્સ હેન્ડલનું નામ “સુરત પોલીસ” ને બદલે “સુરત એરેના પોલીસ” કરી દેવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા એકાઉન્ટ પર આપત્તિજનક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હેકિંગની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક ધોરણે વીડિયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે જ્યારે અન્ય વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે, ત્યારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં, ખુદ સુરત પોલીસનું જ પેજ હેક થતાં, સુરત સાયબર સેલ દ્વારા આ સમગ્ર…

Read More

સુરત, તા.૦૧ સુરત અને તાપી જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી સુમુલ ડેરીના કેટલાક ડિરેક્ટરોની જ મિલીભગતમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી દૂધ લાવીને સૂચિત મંડળી, દૂધ ખરીદ કેન્દ્રો મારફતે સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે આવી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરી દેવાતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે આદેશ જારી કર્યો છે. તેમજ નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી જ દૂધ લેવા આદેશ કર્યો છે. આ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો છે. સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલાં જ વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આરપારની લડાઈ શરૂ થઈ…

Read More

સુરત, તા.૩૦ સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ૯૪૩ કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી “સનરાઈઝ ડેવલપર્સ” નામની ઓફિસમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. ર્જીંય્ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી. ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ, પણ સેબીનીની પરવાનગી વગર, “Castilo 9” અને “Stock grow”…

Read More

સુરત, તા.૩૦ સુરત પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડીને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરની અવ્યવસ્થા સુધીની અનેક સમસ્યાઓથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વારંવાર એપોઇન્ટમેન્ટ કેન્સલ થવી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ નિરાશા મળવી અને આરટીઓ તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળવા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓ ખાતે રોજ ૪૦૦થી વધુ ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. છેલ્લા દસ દિવસથી અનેક અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓ ના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે તેમને કોઈ સંતોષકારક…

Read More

દેહરાદુન, તા.૩૦ વરસાદ માટે રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, સરકારે તમામ જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ અધિકારીઓ અને વિભાગીય નોડલ અધિકારીઓ હાઇ એલર્ટ પર રહેશે. આગાહી મુજબ, ૩૦ જૂને દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેના માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૧ અને ૨ જુલાઈએ સમગ્ર રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ૩ જુલાઈએ બાગેશ્વર, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ…

Read More

ગાંધીનગર, તા.૩૦ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારજનોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ વસૂલવામાં આવશે, જ્યારે બાકી ૮૦% સુધીની રકમ માફ કરાશે. આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે આપવામાં આવે છે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ ૯(ક) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. સતત મળતી દંડની રકમ સાથે મળીને, હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ ભરવી પડશે. અગાઉ જેટલી કુલ…

Read More