સુરત, તા.૩૦ સુરત શહેરની અંદર ટ્રાફિકને લઈને છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવામાં આવે, વાહનચાલકો રોંગ સાઈડમાં ન આવે, હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રાખે આ પ્રકારના નિયમો વાહનચાલકો યોગ્ય રીતે પાલન કરે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાેકે હવે રાજ્ય ગૃહમંત્રીના સૂચન મુજબ સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઇઆર સુધીનો ગુનો દાખલ થશે. આવનાર વર્ષ સુરતીઓ માટે ટ્રાફિક નિયમોને પાલન કરનારો વર્ષ પુરવાર થશે કારણ કે હવે રાજ્ય સરકાર ટ્રાફિક નિયમનને લઈને વધુ સખતાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર…
Author: City Today Daily
સુરત, તા.૩૦ ઉત્તરાયણને હજુ ૧૬ દિવસ બાકી છે, એ પહેલાં જ સુરતમાં પતંગની દોરીથી ગળું કપાવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી મોપેડ પર પસાર થઈ રહેલા કતાર ગામના ૩૪ વર્ષના યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું ગ યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ યુવકને સ્મિમેર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેના ગાળાના ભાગે ૨૦ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલા મીનાક્ષીવાડી ખાતે ૩૪ વર્ષીય રાકેશ મનોજ પરમાર પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે. રાકેશ બેગમપુરમાં મોટી…
બરેલી, તા.૩૦ બે દિવસ બાદ અંગ્રેજી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ અવસર પર નવા વર્ષની ઉજવણી કરવા અને એકબીજાને અભિનંદન આપવા માટે હોટલ, રિસોર્ટ અને પ્રવાસન સ્થળોએ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંગે ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અને મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ફતવો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરવી, શુભેચ્છાઓ આપવી અને જલસાનું આયોજન ઈસ્લામિક શરિયતના પ્રકાશમાં ગેરકાનૂની છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે, નવું વર્ષ જાન્યુઆરીથી શરૂ થાય છે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે. તે ખ્રિસ્તીઓની ધાર્મિક માન્યતા છે કે તેઓ દર વર્ષે પ્રથમ દિવસે…
નવી દિલ્હી, તા. ૩૦ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ જનરેશનના વકીલોને મહત્ત્વ આપવામાં આવતું નથી. તેના બદલે, જે લોકો બીજી જનરેશનના વકીલો છે અને જેમના પરિવારના સભ્યો પહેલેથી જ જજ છે તેઓને જજ તરીકે બઢતી આપવામાં આવે છે. હવે આ ધારણાને ખતમ કરવાની પહેલ કોલેજિયમ તરફથી આવી શકે છે. હવે મળતી માહિતી મુજબ, કોલેજિયમ એવા લોકોના નામ આગળ મૂકવાથી બચશે, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજ છે. જાે આમ થશે તો કોલેજિયમ દ્વારા જજાેની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ઉલ્લેખનીય…
સુરત, તા.૨૯ સુરત શહેરમાં એટીએસ અને શહેર એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડયું છે. ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજાેરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ થયો છે. અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સમાં દરોડા પાડયા હતા. અડાજણ ઝોયાજ હબમાં જિયો ૫૦૦ લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં ૨૫૦ લાઈન એક્ટિવ કરવી ખેલ કરતો હતો. માર્કેટિંગ અને ગેમિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજાેરીને ચૂનો ચોપડવાના રેકેટનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. શહેરના અડાજણ અને વેસુ વિસ્તારમાં બે ઠેકાણે એટીએસ અને સુરત એસઓજીએ દરોડા પાડી જિયોની ૭૫૦ લાઇન…
સુરત, તા.૨૯ સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૂમમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નીખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જાેઈને બુમાબૂમ કરી હતી. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાેકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સૂરતના ગોડાદરા આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં ૩૫ વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની દિકરી અને એક એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુંટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ…
સુરત, તા.૨૯ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જાેઈએ. મળતી માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ પર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેમની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા…
જમ્મુ-કાશ્મીર, તા.૨૯ કાશ્મીરમાં સિઝનની સૌથી કાતિલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાના કારણે હજારો વાહનો અટવાઈ જતાં પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧.૨ મીમી વરસાદ ખાબક્યો છે, જેણે ૧૦૧ વર્ષનો ઈતિહાસ તોડયો છે. હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજાવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે તથા…
દક્ષિણ કોરિયા, તા.૨૯ દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે ૧૭૯ પર પહોંચી ગયો હોવાની આશંકા છે, જ્યારે માંડ બે લોકો બચી શક્યા છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં ૧૭૯ લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં…
સુરત, તા.૨૮ સુરતના કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ પોલીસે ઝડપી પાડયો છે,બ્રાન્ડેડ ઘી ના નામે નકલી ઘી ગ્રાહકોને પધરાવવામાં આવતુ હતુ અને કઠોરના માનસરોવર રેસિડેન્સી ફલેટમાંથી આ કારખાનું ઝડપાયું હોવાની વાત સામે આવી છે.પોલીસે બાતમીના આધારે દરોડા પાડી એક વ્યકિતની ધરપકડ કરી છે.છેલ્લા કેટલા સમયથી ઘી બનાવતો હતો તે દિશામાં તપાસ હાથધરી છે. સુરતના કામરેજના કઠોરમાંથી નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું છે,કઠોરના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાંથી આ કારખાનું ઝડપાયું છે,કોઈને જાણ ના થાય તે માટે ફલેટ રાખી ઘી બનાવવામાં આવતું હતુ,પોલીસે ૧૦૮ ડબ્બા, ૩૮ ખાલી ટીન,પેકીંગનું મશીન સહિત ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,પ્રવીણ હરખાણી નામનો ઈસમ કરી રહ્યો હતો…
