Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુસ્લિમો નવા વર્ષની ઉજવણીથી દૂર રહે, શરિયત પ્રમાણે ગુનેગાર

    મુસ્લિમો નવા વર્ષની ઉજવણીથી દૂર રહે, શરિયત પ્રમાણે ગુનેગાર

    City Today DailyBy City Today DailyDecember 30, 2024

    બરેલી, તા.૩૦
    બે દિવસ બાદ અંગ્રેજી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ અવસર પર નવા વર્ષની ઉજવણી કરવા અને એકબીજાને અભિનંદન આપવા માટે હોટલ, રિસોર્ટ અને પ્રવાસન સ્થળોએ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
    આ અંગે ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અને મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ફતવો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરવી, શુભેચ્છાઓ આપવી અને જલસાનું આયોજન ઈસ્લામિક શરિયતના પ્રકાશમાં ગેરકાનૂની છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે, નવું વર્ષ જાન્યુઆરીથી શરૂ થાય છે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે. તે ખ્રિસ્તીઓની ધાર્મિક માન્યતા છે કે તેઓ દર વર્ષે પ્રથમ દિવસે ઉજવણી કરે છે અને તેમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ખ્રિસ્તીઓનો શુદ્ધ ધાર્મિક કાર્યક્રમ છે, તેથી મુસ્લિમો માટે નવા વર્ષની ઉજવણી કરવું ગેરકાયદેસર છે. ઈસ્લામ આવા કાર્યક્રમો પર સખત પ્રતિબંધ મૂકે છે.
    મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ ફતવામાં કહ્યું કે, નવા વર્ષની ઉજવણી કરવી, એકબીજાને શુભેચ્છા પાઠવવી, ફટાકડા ફોડવા, તાળીઓ પાડવી, શોર મચાવવો, સીટી વગાડવી, લાઇટ બંધ કરીને હંગામો કરવો, ત્યારબાદ ફરીથી લાઇટ ચાલુ કરવી, નાચવું અને ગાવું, દારૂ પીવો, જુગાર રમવો, પોતાના મોબાઈલ વોટ્‌સએપ પરથી એકબીજાને મેસેજ મોકલીને અભિનંદન આપવી, આ તમામ બાબતો ઈસ્લામિક શરિયતના પ્રકાશમાં ગેરકાયદેસર છે.
    ફતવામાં મુસ્લિમોને કહેવામાં આવ્યું છે કે, અન્યના ધાર્મિક તહેવારોમાં ભાગ લેવાનું પોતે પણ ટાળવું અને બીજા મુસલમાનોને પણ આમ કરતા રોકવા જાેઈએ. જાે કોઈ વ્યક્તિ આ પ્રકારનું બિન-શરિયત કામને અંજામ આપશે તો તે મોટો ગુનેગાર ગણાશે. મુસલમાનોએ શરિયત વિરુદ્ધ કંઈ પણ કામ ન કરવું જાેઈએ.

    Post Views: 964
    મુસ્લિમો નવા વર્ષની ઉજવણીથી દૂર રહે શરિયત પ્રમાણે ગુનેગાર
    Previous Articleજજાેના સગા-સંબંધીઓ જજ નહીં બને!કોલેજિયમમાં નામ આગળ ન મૂકવા પર વિચારણા
    Next Article ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળુ કપાયું

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.