નવી દિલ્હી, તા. ૨૬ દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીના ઈમામોએ આજે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના ઈમામોનું કહેવું છે કે તેમને છેલ્લા ૧૭ મહિનાથી ૧૬-૧૮ હજાર રૂપિયાનો માસિક પગાર જે આપવામાં આવે છે તે મળ્યો નથી. જેનાં કારણે આજે ઈમામોએ ફિરોઝશાહ રોડ પર કેજરીવાલને મળવાનો પ્રયાસ કર્યો હતો. ઇમામોએ કહ્યું,કે ‘આપણે રાજકારણમાં ન ખેંચાય. અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે દિલ્હીના ઈમામો અને મુઅઝીનને છેલ્લા ૧૭ મહિનાથી પગાર નથી મળ્યો. દિલ્હીના ઈમામોનું કહેવું છે કે તેમને વક્ફ બોર્ડ તરફથી પગાર મળ્યો નથી. દિલ્હીની અલગ-અલગ મસ્જિદોના મૌલાનાઓ અને મુઅઝીન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ૫…
Author: City Today Daily
ચંદીગઢ, તા.૨૬ પંજાબના રૂપનગર પોલીસે છેલ્લા ૧૮ મહિનામાં ૧૧ લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપી પોતાની કારમાં લોકોને લિફ્ટ આપતો હતો અને પછી લૂંટ કરતો હતો. જે લૂંટનો વિરોધ કરે તો તેની હત્યા કરતો હતો. આરોપી એટલો હેવાન હતો કે મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને પછી તેના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો. આ કેસમાં ચોંકાવનારી હકીકત એ છે કે તમામ ૧૧ મૃતકો પુરુષો હતા, જેમની સાથે આરોપી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા હતા. અહેવાલો અનુસાર, આરોપી પંજાબના હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો રહેવાસી છે. તેની ઓળખ રામ સ્વરૂપ ઉર્ફે સોઢી તરીકે થઈ છે. પોલીસે ૨૩મી ડિસેમ્બરે…
ચટપટીની લારી ચલાવનાર તથા છુટક રીપેરીંગ કરનાર માજીદખાન પઠાણ દ્વારા વરીયાવી બજાર ખાતે આવેલ મિલકતમાં ગેરકાયદેસર કબ્જાે કરનાર ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરાઇ (સિટી ટુડે) સુરત,તા.૨૫ લાલગેટ વિસ્તારમાં આવેલ મીરજાશામી હોલ પાસે સીટી સર્વે નં.૧૧/૨૩૬૪- ૨૩૮૨-૨૩૪૧(બ)-૩૦૬૦ વાળી જગ્યા પર માલીકી ન હોવા છતાં ગેરકાયદેસર કબજાે જમાવી બેઠેલા ચાર ઇસમો સામે લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની ત્રણ જુદી જુદી ફરીયાદો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, માજીદખાન અહેમદખાન પઠાણ જે છુટક મજુરી તથા ચટપટીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા મીરઝાશામી મસ્જીદની સામે આવેલ સેર્વ નં.૧૧/૨૩૬૪ તથા અન્ય સર્વે વાળી જગ્યા પર જુનો મકાન મુળ માલીક…
સુરત, તા.૨૫ ભરૂચના ઝઘડિયામાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૧૦ વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના ર્નિભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૮૦ કલાક બાદ મોત થયું હતું. પીડિતાને ૨૩ ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. ૧૦ વર્ષીય બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ મામલે પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે. એને લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે (૨૫ ડિસેમ્બર) આરોપી વિજય પાસવાનને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આરોપી વિજય પાસવાનના કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે એમ ના હોવાને કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુસ્લિમ ધોબી સમાજના પ્રતિનિધીઓ તથા અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સીનીયર કોંગ્રેસ આગેવાન ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને આર્થિક હિત માટે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૫ તા. ૨૪-૧૨-૨૦૨૪ને મંગળવારના રોજ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત મુસ્લિમ ધોબી સમાજ ના પ્રતિનિધીઓ તેમજ અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના શૈક્ષણિક અને આર્થિક હિતો માટે રૂબરૂ મળી મહત્વપુર્ણ રજૂઆત કરવામાં આવી હતી. મહત્વના મુદ્દાઓ પર રજૂઆત : (૧) SEBC ની યાદીમાં સ્પષ્ટતા: હિન્દુ અને મુસ્લિમ ધોબી સમાજ માટે સ્પષ્ટ ઉલ્લેખ લાવવા માંગ કરી જેથી બંને સમુદાયોને સરકારશ્રી…
સાયબર સેલની મદદથી પોસ્ટ કરનાર વ્યક્તિની શોધ ગાઝિયાબાદ,તા. ૨૫ પોલીસે ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર વાઈરલ ગૃહ પ્રધાન અમિત શાહના મૃત્યુ અંગેની ખોટી માહિતી ફેલાવવા બદલ એક રિપોર્ટ નોંધ્યો છે. આ રિપોર્ટ ભાજપના વસુંધરા મંડળના પ્રમુખ અનિલ શર્માની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. અનિલ શર્માએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર ગૃહમંત્રી અમિત શાહના નિધન સાથે જાેડાયેલા ખોટા અને અપમાનજનક સમાચાર શેર કરવામાં આવ્યા છે. આ પોસ્ટ માત્ર તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ નથી. બલ્કે, તેનો ઉદ્દેશ્ય પણ સમાજમાં ભ્રામક અને ખોટી માહિતી ફેલાવવાનો હોવાનું જણાય છે. તમામ કાર્યકરો આ ભ્રામક અને અપમાનજનક…
ગાઝામાં બાળકોને યોગ્ય શિક્ષણ પણ નથી મળી રહ્યું ગાઝા, તા.૨૫ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હજું સમાપ્ત નથી થયું. ત્યાંની સ્થિતિ દિવસેને-દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ઈઝરાયેલે ગાઝાને ખંડેર બનાવી દીધુ છે. ત્યારે આ વચ્ચે ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અંગે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી)એ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકનું મોત થાય છે, ત્યાં બાળકો માટે કોઈ જગ્યા નથી. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૪,૫૦૦ બાળકોના મોત થઈ ગયા છે. દર કલાકે એક બાળક મૃત્યુ પામે છે. આ સંખ્યાઓ નથી. UNRWA એ એક પ્રેસ નિવેદનમાં…
હર્ષકુમાર ક્ષીરસાગર નામના કોન્ટ્રાક્ટ કર્મચારીએ સરકાર સાથે ૨૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી મુંબઈ , તા.૨૫ એક દિવસ માત્ર ૧૩ હજાર રૂપિયામાં કામ કરનાર વ્યક્તિ અચાનક લક્ઝરી કારમાં મુસાફરી કરવા લાગે છે. તેનો એક મિત્ર ૩૫ લાખ રૂપિયાની એસયુવી કાર ખરીદે છે. એટલું જ નહીં તેણે તેની ગર્લફ્રેન્ડને 4BHK ફ્લેટ પણ ગિફ્ટ કર્યો હતો. આ બધું જાેઈને આસપાસના લોકોની ઊંઘ ઊડી ગઈ. આ બધું કેવી રીતે બન્યું તે તેમના માટે માનવું મુશ્કેલ હતું. પછી એવી કહાની સામે આવી કે જેણે પણ સાંભળ્યું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બધું મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં થયું. હર્ષકુમાર ક્ષીરસાગર નામના કોન્ટ્રાક્ટ કર્મચારીએ સરકાર…
કાનપુર, તા.૨૫ યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે સેક્સવર્ધક દવા ખાઈને કિશોરી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હતું. પોલીસે પ્રેમીની પૂછપરછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ આ ખુલાસો કર્યો હતો. શિવરાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી શુક્રવારે પોતાની પુત્રીને ઘરે એકલી મૂકીને સંબંધીના ઘરે લગ્ન માટે ગયા હતા. ત્યારબાદ યુવતી પડોશમાં બીજા ઘરમાં રહેતા તેના મોટા ભાઈની પાંચ વર્ષની પુત્રીને પોતાની સાથે સુવા માટે લાવી હતી. શનિવારે સવારે તેનો મૃતદેહ ખાટલા પર અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.…
(સિટી ટુડે) સુરત,તા.૨૪ સુરતના લંબે હનુમાન પાસે ખાનગી માલિકી ની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ બી.પી.એમ.સી.એકટ૧૯૪૯ ની કલમ ૨૬૦(૧) મુજબ નોટીસ આપવામાં આવેલ હતી જે નોટીસનો દરગાહના વહીવટકર્તાએ તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ એસ.એમ.સી તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ને જવાબ આપેલ અને ત્યારબાદ વકફ ટ્રિબ્યુનલમાં તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ વકફ અધિનિયમનીકલમ ૮૩ મુજબની જાહેરાતનો દાવો વકફ દાવા નં.૩૫૮/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો જે દાવાના કામે તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ વકફ ટ્રિબ્યુનલ એ સ્ટે આપેલ હતો અને ત્યારબાદ વાદી અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. વચ્ચે તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ સમાધાન થયેલ અને તે…
