Author: City Today Daily

(સિટી ટુડે) સુરત,તા.૨૦ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ સુરત શહેરના તથા અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સુચના મુજબ સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પો.કમિ. રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.,પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામા આવેલ છે. ઉપરોક્ત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન (પીસી) સિકંદર બિસ્મિલ્લા તથા (પીસી) અસલમ ઇદ્રીશ નાઓને મળેલ બાતમી આધારે અડાજણ પાટીયા બસ સ્ટેશન પાસેથી આરોપી અલતાફ ઉર્ફે અલ્લુ સદરૂદીન વેલકાણી ઉ.વ-૫૩, રહે ઃ ફલેટ ૪૦૪ ચોથા માળે બિલ્ડીંગ નં ડીપ…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૨૦ સલાબતપુરા પો.સ્ટે. ફરીયાદ નંબર ૧૧૨૧૦૦૫૫૨૪૧૪૫૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૪૦૬, ૪૦૯, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬(૨) મુજબના કામે ફેબ્રુઆરી-૨૦૧૩ થી તા-૦૨/૧૧/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન માજીસા માં સિલેકશન એ-૨, દાદા માર્કેટ, બેગમવાડી સુરત ખાતે આરોપીઓ (૧) ઉમર આબીદ ચાંદીવાલા (૨) આલીયાW/O ઉમર ચાંદીવાલા તથા (૩) મુર્તુઝા ઉર્ફે ઇમરાન S/O અલ્તાફ ચાંદીવાલા નાઓએ અગાઉથી જ ગુનાહીત કાવતરુ રચી એકબીજાની મદદગારીથી ફરીયાદીઘનશ્યામ તુલસીદાસ કવરાની નાઓને પોતે પ્રતિષ્ઠિત દલાલ તરીકેનો વિશ્વાસ અને ભરોસો આપી ફરીયાદીશ્રીને દલાલીથી કાપડ વેચાણ કરાવી આપશે તેવો વિશ્વાસ આપી અલગ અલગ ચલણથી કુલ્લે રૂપીયા ૪૦,૦૦,૦૦૦/- નો સુટનુ કાપડ મેળવી લઇ તે કાપડ સમયસર વેચાણ નહી કરતા તે કાપડનો માલ પરત માંગણી…

Read More

નવી દિલ્હી, તા.૨૦ આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે ટોણો પણ માર્યાે હતો કે જે લોકો આવા મુદ્દા ઉઠાવે છે તેઓ વિચારે છે કે તેઓ હિન્દુ નેતા બની જશે. આરએસએસ ચીફ સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વાત કરી રહ્યા હતા. ભાગવતે કહ્યું, ‘અમે લાંબા સમયથી સુમેળમાં રહીએ છીએ. જાે આપણે આ સદ્ભાવનાને દુનિયામાં ફેલાવવી હોય તો આપણે એક મોડેલ બનાવવું પડશે. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ આવા જ મુદ્દા ઉઠાવીને હિન્દુ…

Read More

હાલ ભૃગર્ભમાં ઉતરી ગયેલ હુસેન-ડી મુંબઇ ખાતે જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં જલસા કરી રહ્યો હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૧૯ સુરત શહેરમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા બિઝનેશ ટાઇકુનોના ગોડફાધરો ગણાતા જુનાગઢના મમ્મુનો સીધો હાથ ગણાતો હુસેન-ડી દ્વારા અગાઉ હૈદરાબાદ ખાતે કેટલાક મહિનાઓ જેલની હવાઓ ખાલ ચુકેલ હોવા છતાં બોગસ એકાઉન્ટના ધંધા થી દુર થવાના બદલે આર્થીક રીકે રીતે પાઇમાલ બનેલા અનેક લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલી દીધેલ છે. હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુના ચાર હાથ હોવાના કારણે બેફામ બનેલો હુસેન-ડી દ્વારા સુરત શહેરના કેટલાક મળતીયાઓના સહારે અનેક ગરીબોના ડોક્યુમેન્ટોનું ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી તેના ઉપર બોગસ એકાઉન્ટી થી લઇ સીમકાર્ડ સુધીની પ્રક્રિયાઓ…

Read More

ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું આ પાર્કિંગમાં કાર્યવાહી માત્ર કાગળો ઉપર (સિટી ટુડે) સુરત,તા.૧૯ સુરત શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ બાબતે પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરો એટલી હદે બેફામ બની ગયા છે કે, ટ્રાફિક પોલીસને પણ ગાંઠતા નથી કે પછી ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે મિત્રતા બનાવી જાહેરા રસ્તાઓ ઉપર ગાડીઓ પાર્ક કરાવી બેફામ ઉઘરાના કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો લાલગેટ મેઇન રોડ પાસે આવેલ વેડીંગ શો રૂમની બાજુમાં મનપા સંચાલીત પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર દ્વારા રોડ રસ્તાને પોતાના બાપની જાગીર સમજી ગેરકાયદેસર રીતે ગાડીઓ પાર્ક કરાવી કરાવી કલાકના સમય મુજબ પૈસા વસુલવામાં આવી રહ્યા છે. આજ જગ્યાની ૧૦૦ થી ૨૦૦…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૯ લિંબાયત વાહન ડેપોમાંથી ડિમોલિશનના કાટમાળમાંથી નીકળેલા આશરે ૩૦ ટન સળિયાની ચોરી થઈ ગઈ હોવાના આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે જગ્યાએ કરોડોના સરકારી વાહનો પડ્યા રહે છે ત્યાં સુરક્ષા માટે સીસીટીવી જ નથી ત્યારે ભવિષ્યમાં પણ કોઈ મોટી ચોરી થાય તો જવાબદાર કોણ? તે અંગે પૂર્વ કોર્પોરેટરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ઘટના અંગે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, ઓગસ્ટ -૨૦૨૪માં જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનાં એ, બી અને સી ટાઈપને ડિમોલિશન કરવાનો ઈજારો આપવા માટે “કામનું નામઃ- સાઉથ-ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં ટી.પી. ૦૭ (આંજણા),ફા.પ્લોટ…

Read More

નવી દિલ્હી, તા.૧૯ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે. સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા. જેનાથી હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહ્લાદ જાેશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રતાપ સારંગીના હાલચાલ જાણવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. સંસદ પરિસરમાં ભાજપના સાંસદ સાથે ધક્કામુક્કીની જાણકારી…

Read More

નવી દિલ્હી, તા.૧૯ ર્નિભયા સામુહિક દુષ્કર્મ-હત્યાની ૧૨મી વરસી પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા અંગે માર્ગદર્શિકા બનાવવા અને કાયદામાં સુધારો કરવા સહિતની ૨૦ માંગણીઓ કરાઈ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બેંચે આ અરજી પર કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે.મહિલા વકીલોના સંગઠન સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશન (જીઝ્રઉન્છ)એ અરજીમાં જાહેર ઇમારતો અને સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, ઓનલાઈન પોર્નાેગ્રાફિક અને ઓટીટી અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જીઝ્રઉન્છના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પવાણીએ જણાવ્યું…

Read More

નવી દિલ્હી,તા.૧૮ સુપ્રિમ કોર્ટે ગેરકાયદે નિર્માણને લઈને એક મોટો ર્નિણય કરી ગેરકાયદે નિર્માણ પર અંકુશ લગાવવા માટે અનેક દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું હતું કે માત્ર પ્રશાસનિક વિલંબ સમય વીતી જવા કે આર્થિક રોકાણના આધાર પર અનધિકૃત નિર્માણને વેધ ન ઠેરવી શકાય. જસ્ટીસ જે.બી.પારડીવાળા અને આર.માધવનની પીઠે મેરઠનાં શાસ્ત્રીનગર સ્થિત સેન્ટ્રલ માર્કેટમાં આવાસીય ભૂખંડમાં ગેરકાયદે વ્યાવસાયિક નિર્માણને ધ્વસ્ત કરવાના અલાહાબાદ હાઈકોર્ટનાં ફેસલાને યથાવત રાખ્યો છે અને દેશભરમાં ગેરકાયદે નિર્માણ રોકવા માટે બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.બેન્ચે અલહાબાદ હાઈકોર્ટના ૨૦૧૪ ના ફેસલાને પડકારતી અપીલોને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે દેશભરમાં બિલ્ડરોએ પોતાના પ્રોજેકટનો…

Read More

તાલુકા વિકાસ અધિકારી લાંચમાં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે (સિટી ટુડે) ડાંગ, તા.૧૮ ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પચાયત માં એસીબીએ ટેપ ગોઠવી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડુબ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહિંનાં ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ર્‌ન કરતાં નથી તેમની અજાણતાંનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભષ્ટ્રાચાર આચરવામાં કોઈ કસર છોડતાં નથી કામ માં ટકાવારી થી લઈને ફાઈલો પર સહી  કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જાેય…

Read More