જુનાગઢ, તા.૨૩
લોકસભાની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં હવે ભાજપના નેતાઓ બેફામ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે.
ચૂંટણી પ્રચારમા ભાજપના નેતાઓ ભાન ભૂલી રહ્યાં છે. રૂપાલા તેનું સળગતુ ઉદાહરણ છે. રૂપાલાના એક નિવેદનથી આખા રાજપૂત સમાજે તલવાર તાણી છે. ત્યાં ગઈકાલે જુનાગઢના ભાજપના નેતા કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપીને માફી માંગી હતી. ત્યારે ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે.
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભૂપત ભાયાણીના આ નિવેદન સામે રોષ જાેવા મળ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીનો બફાટ હાલ વાયરલ થયો છે.
વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં છે. તેમણે કહ્યુ હત કે, રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાલ નસો આપી શકાય.
આમ, વિસાવદર મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે વધુ એક ભાજપી નેતાએ વાણી વિલાસ કર્યો છે.
જાેકે, આ બાદ તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, કાલનો રાહુલ ગાંધી માટે મારો શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો એક ભાગ છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવાનો મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાને ભાજપને આડે હાથ લીધા છે.
તેમણે કહ્યું કે, આ બાબતે ભાજપ ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે. આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી, પણ નિંદનીય છે. કોંગ્રેસ આલાકમાન આ બાબતે કાર્યવાહી કરશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.