Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું, વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!

    ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું, વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!

    City Today DailyBy City Today DailyJuly 13, 2025

    સુરત, તા.૧૩
    સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિમાં ખાડીના પાણી ગામો અને શહેરોમાં ઘૂસી જતાં સર્જાયેલા વિનાશ બાદ આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાનહાનિ અને કરોડો રૂપિયાના નુકસાન પછી તંત્રની ઊંઘ ઊડી છે, અને હવે ખાડી પરના નડતરરૂપ બ્રિજાેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી, જે ઘણા સમય પહેલા થવી જાેઈતી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર હંમેશા કુદરતી આફતોના નિવારણ કરતાં તેના પરિણામો ભોગવ્યા પછી જ જાગે છે.
    મહત્વનું છે કે, વરસાદી પાણીના પ્રવાહને અવરોધતા આ બ્રિજાે અને ખાડી આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બેરોકટોક થતા દબાણો સામે આંખ આડા કાન કરનાર તંત્રને હવે લોકોના રોષ અને નુકસાનનો સામનો કરવો પડતાં કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દબાણો જળનિકાલમાં સૌથી મોટી અડચણરૂપ હતા અને તેના કારણે જ પાણીનો ભરાવો થયો હતો. એટલું જ નહીં, ખાડીની આસપાસ કચરાના ઢગલા પણ જાેવા મળ્યા છે. આ કચરો માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે ખાડીના પ્રવાહને પણ અવરોધે છે, જેના કારણે પાણીનો ભરાવો વધુ ગંભીર બને છે. આ કચરાના ઢગલા તંત્રની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી અને નાગરિકોની પણ પર્યાવરણ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે. આ “એક્શન” મોડ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભવિષ્યમાં આવી આફતો ન સર્જાય તે માટે કાયમી ઉકેલો લાવવામાં આવે. માત્ર તાત્કાલિક પગલાં ભરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે અને દબાણો સામે કડક હાથે કામ લેવું પડશે, નહીં તો આગામી વરસાદની ઋતુમાં ફરીથી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શું તંત્ર આમાંથી બોધપાઠ લઈને ખરેખર કાયમી સમાધાન તરફ આગળ વધશે કે પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનશે?
    સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડી પુર નિવારણ માટે કમીટી બનાવવામા આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિ. કમિશ્નરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવર્ટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જાેકે, કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે. સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પુર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ખાડી પુરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ ૧૯ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાેકે, આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યાં છે.

    Post Views: 430
    ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!
    Previous Article૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી
    Next Article દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.