Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું, વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!

    ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું, વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!

    City Today DailyBy City Today DailyJuly 13, 2025

    સુરત, તા.૧૩
    સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિમાં ખાડીના પાણી ગામો અને શહેરોમાં ઘૂસી જતાં સર્જાયેલા વિનાશ બાદ આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાનહાનિ અને કરોડો રૂપિયાના નુકસાન પછી તંત્રની ઊંઘ ઊડી છે, અને હવે ખાડી પરના નડતરરૂપ બ્રિજાેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી, જે ઘણા સમય પહેલા થવી જાેઈતી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર હંમેશા કુદરતી આફતોના નિવારણ કરતાં તેના પરિણામો ભોગવ્યા પછી જ જાગે છે.
    મહત્વનું છે કે, વરસાદી પાણીના પ્રવાહને અવરોધતા આ બ્રિજાે અને ખાડી આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બેરોકટોક થતા દબાણો સામે આંખ આડા કાન કરનાર તંત્રને હવે લોકોના રોષ અને નુકસાનનો સામનો કરવો પડતાં કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દબાણો જળનિકાલમાં સૌથી મોટી અડચણરૂપ હતા અને તેના કારણે જ પાણીનો ભરાવો થયો હતો. એટલું જ નહીં, ખાડીની આસપાસ કચરાના ઢગલા પણ જાેવા મળ્યા છે. આ કચરો માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે ખાડીના પ્રવાહને પણ અવરોધે છે, જેના કારણે પાણીનો ભરાવો વધુ ગંભીર બને છે. આ કચરાના ઢગલા તંત્રની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી અને નાગરિકોની પણ પર્યાવરણ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે. આ “એક્શન” મોડ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભવિષ્યમાં આવી આફતો ન સર્જાય તે માટે કાયમી ઉકેલો લાવવામાં આવે. માત્ર તાત્કાલિક પગલાં ભરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે અને દબાણો સામે કડક હાથે કામ લેવું પડશે, નહીં તો આગામી વરસાદની ઋતુમાં ફરીથી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શું તંત્ર આમાંથી બોધપાઠ લઈને ખરેખર કાયમી સમાધાન તરફ આગળ વધશે કે પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનશે?
    સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડી પુર નિવારણ માટે કમીટી બનાવવામા આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિ. કમિશ્નરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવર્ટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જાેકે, કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે. સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પુર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ખાડી પુરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ ૧૯ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાેકે, આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યાં છે.

    Post Views: 444
    ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!
    Previous Article૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી
    Next Article દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.