Author: City Today Daily

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે : આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત જાહેર, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરાયા પશ્ચિમ બંગાળ,તા.૧૬ દેશભરમાં SIRને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જાવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી SIR પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં…

Read More

કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘મહારાષ્ટ વિકાસ અઘાડી’નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના (UBT ) પણ સામેલ છે નવીદિલ્હી,તા.૧૬ રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) પર સવાલ ઉઠાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ જ મશીનો દ્વારા ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી EVM સામે પ્રશ્ન નહીં કરે. મહારાષ્ટÙના બારામતીથી ચાર વખત લોકસભાના સભ્ય અને NCP(શરદ પવાર)ના કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘મહારાષ્ટ વિકાસ અઘાડી’નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના (UBT) પણ સામેલ છે. ગૃહમાં સુપ્રિયા સુલેએ કહ્યું,…

Read More

નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ*   *આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,* (સિટી ટુડે) નર્મદા :15          નર્મદા જિલ્લાના સિસોદરા ગામમાં આવેલા એક આશ્રમના સાધુ વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. આ સંતની કથિત બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સિસોદરાના ગ્રામજનો અને આશ્રમના ટ્રસ્ટીઓએ નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ…

Read More

નવી દિલ્હી, તા.૧૫ દિલ્હી-એનઆરસીમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે ધનિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે અને ગરીબો તેનાથી સૌથી વધુ પીડાય છે. વરિષ્ઠ અધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન રમતગમતની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ છતાં વિવિધ સ્થળોએ રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારો કોર્ટના આદેશોને અવગણવા માટે ઉપાયો અને…

Read More

લાતુર, તા.૧૫ મહારાષ્ટ્રના લાતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં કારમાંથી એક વ્યક્તિનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ બેન્કના રિકવરી એજન્ટ તરીકે થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિને કોથળામાં બાંધીને તેની કાર સાથે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, લાતુરના ઔસા તાલુકાના વાનવડા રોડ પર બની હતી. કારની અંદરથી એક બળી ગયેલી કાર મળી આવી હતી, અને ઔસા ટાંડાના રહેવાસી ગણેશ ચૌહાણનો સળગેલો મૃતદેહ કોથળામાં લપેટાયેલો મળી આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બેન્ક એજન્ટને પહેલા કોથળામાં બાંધવામાં આવ્યો હતો અને પછી કારને આગ લગાવી દેવામાં આવી હતી. માહિતી…

Read More

સુરત, તા.૧૫ સુરતના રાણી તળાવ, ડુંગર શેરીમાં આવેલા ઘર નંબર ૧૨/૩૫૯ ધરાવતી ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની ઇમારતનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનો પહેલો અને બીજાે માળ એકસાથે ધરાશાયી થઈ ગયા હતા. આ મકાનની અંદર ૬૯ વર્ષીય ખલીલ અબ્દુલભાઈ રહીમ પેટીવાળા અને ૬૭ વર્ષીય સઈદ ઈસ્માઈલ પેટીવાળા હાજર હતા, જેઓ કાટમાળ પડતાની સાથે જ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જાેતા ઘાંચીશેરી ફાયર સ્ટેશન અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર અને જવાનોએ…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૪ સુરત મોરબી ટંકારા મેમન જમાત તથા ખિદમતે ખલ્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મોરબી ટંકારા મેમન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય સંસ્થાઓ તથા સામાજીક આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી. સુરત મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ ફારૂક ચાંદીવાલાએ જણાવ્યું હતું કે, મોરબી ટંકારા મેમન યુથ તથા તમામ મોરબી ટંકારાની કમીટીઓ અને તમામ લોકોના સાથ સહકારના કારણે આ બ્લડ ડોનેશન કેમ્પને ઐતિહાસીક સફળતા મળી છે. લગભગ ૧૧૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયા બાદ ૯૦૦ જેટલા યુનીટો એકત્રીત કરવામાં આવ્યા હતા. મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ દ્વારા…

Read More

સિડની, તા.૧૪ રવિવારે ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા. ઘટનાની માહિતી મળતાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો, લોકોને દૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની વિનંતી કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી કે બોન્ડી બીચ પર પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અને સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો…

Read More

તિરુવનંતપૂરમ, તા.૧૪ કેરળ નાગરિક ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ ગઠબંધને કેરળમાં સારું પ્રદર્શન કર્યું, જ્યારે શશી થરૂરના તિરુવનંતપુરમ મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો. આ દરમિયાન, ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે. ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે ત્રિશૂર કોર્પોરેશનની ચૂંટણીમાં કન્નનકુલંગારા વોર્ડ જીતીને કોંગ્રેસ પાર્ટી પાસેથી બેઠક આંચકી લીધી છે. મુમતાઝે કોર્પોરેશનના ૩૫માં ડિવિઝનમાંથી જીત મેળવી હતી, જે બહુમતી હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે. તે અને તેમનો પરિવાર છેલ્લા આઠ વર્ષથી ભાજપ સાથે કાર્યકરો અને સમર્થકો તરીકે જાેડાયેલા છે. છેલ્લા બે વર્ષમાં, તેમને પક્ષના લઘુમતી પાંખમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનું…

Read More

City Today, 14 મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને X ના માધ્યમથી ગ્યાસુદ્દીન શેખ શેખે વિનંતી કરી છે કે  રાહુલ ગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭” ની સંપૂર્ણ સફળતા સુનિશ્ચિત કરવા અને નિર્ણાયક જનાદેશ મેળવવા માટે, તે અનિવાર્ય છે કે આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નવો જોશ અને તીક્ષ્ણ વ્યૂહાત્મક ધાર ઉમેરીએ. આપણે અત્યારે એક નિર્ણાયક વળાંક પર ઉભા છીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર એક લોકશાહી પ્રક્રિયા નથી; તે આપણા ભવિષ્યની દિશા નક્કી કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જ સ્પષ્ટ નક્કી કરશે કે ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિચારધારા વિરુદ્ધ ની લડત માટે નું કોણ સાચો વિકલ્પ છે. મતદારો આ ચૂંટણી દ્વારા…

Read More